SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રા માનપાત યાત્રા ઝાડા થયા; તેથી તેને બધા જ કઢને રોગ નાશ પામ્યું. - ત્યારપછી કેટલાય દિવસસુધી ત્યાં જ વનમાં ફલ વિગેરેનું ભક્ષણ કરતે રહેવા લાગ્યા. તે પાણી પીવાથી અને તે તળાવના પાણીમાં સ્નાન કરવાથી અનુક્રમે તે સર્વથા રેગ વિનાને થઈ ગયે. અને અત્યંત મનહર–તેજસ્વી શરીરવાળે થઈ ગયે. ત્યારપછી તે બ્રાહ્મણ પાછા ફરીને પિતાના નગરમાં આવ્યો. નગરીમાં પેસતાં જ તે બ્રાહ્મણને નગરજનોએ પૂછ્યું: “હે બ્રાહ્મણ! નીરોગી કેવી રીતે થઈ ગયો” બ્રાહ્મણે કહ્યું: “મેં દેવની આરાધના કરી અને તે દેવતાના પ્રભાવથી હું નિરોગી થઈ ગયો. તે સાંભળીને આશ્ચર્ય પામેલા લોકે તેને ભાગ્યશાળી માનવા લાગ્યા. . હવે ઘેર ગયેલો પિતાના પુત્રે વિગેરેને કોઢ રોગથી રેગી બનેલા જોઈને ખુશ થઈને કહેવા લાગ્યોઃ “હે પુત્રો ! સારું થયું કે તમે લોકોએ મારી- અવજ્ઞા–તિરસ્કાર કર્યો તેનું તાત્કાલિક ફલ પામ્યા.” તે સાંભળી પુત્રોએ વિચાર્યું? ખરેખર! આ આપણું પિતાએ જ આ અકાર્ય કર્યું છે કે કિઢથી વ્યાસ બકરાનું માંસ આપણને ભક્ષણ કરવા માટે આપ્યું. આવા પિશાચ જેવા પિતા હોવા છતાં પણ તેને ધિક્કાર હો. આમ તે પુત્રોએ તેને વારંવાર ધિક્કારીને તેઓએ પોતાના પિતાને ઘરમાંથી બહાર કાઢી મૂક્યો. તે બધું વૃત્તાંત જાણીને નગરવાસીઓએ તે બ્રાહ્મણનો તિરસ્કાર કર્યો અને તિરસ્કારાયેલ તે સે મુક બ્રાહ્મણ નગરમાંથી નીકળીને રાજગૃહ નગરમાં આવીને પિતાની આજીવિકા ચલાવવા માટે નગરના દ્વારપાલની સેવા કરવા લાગ્યા. એવા અવસરે અમે ત્યાં વિહાર કરતા કરતા સમેસર્યા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036455
Book TitleMunipati Charitram
Original Sutra AuthorN/A
AuthorSanyamsagar
PublisherSimandhar Swami Jin Mandir Khatu
Publication Year1985
Total Pages222
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size114 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy