SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ 138 શ્રી મુનિપતિ ચરિત્રમ. હવે તાત્કાલિક ઉત્પન્ન થયેલી બુદ્ધિવાળી તે વાન-- રીએ તે વાઘને એકદમ કહ્યું : “હે વાઘ ! તારે હવે મારૂં રક્ષણ કરવાનું રહેતું નથી; ભક્ષણ જ કરજે " પણ મારી. એક વાત સાંભળ– ' ' * વાનરોના પ્રાણ પૂંછડામાં રહે છે, તેથી પહેલાં તારે મારૂં પૂછડું જ ગ્રહણ કરવા જેવું છે. તે સાંભળી ખુશ. થયેલો વાઘ જેટલામાં તેને મૂકી તેના પૂછડાને પકડવા. જાય છે, તેટલામાં તો તે વાનરી જલદી કૂદીને બીજા ઝાડ. ઉપર ચઢી ગઈ. . હવે તે વાઘ પણ વિલો થઈને બીજા વનમાં. ચાલ્યા ગયે. હવે તે વાનરીએ તે ભિલ્લ ઉપર જરાપણ રોષ રાખ્યા સિવાય કહ્યું : " હે ભાઈ! હવે તે વાઘ ચાલ્યો ગયો છે, તેથી તું હવે ઝાડ ઉપરથી ઊતર. ત્યારપછી ઝાડ ઉપરથી તે નીચે ઉતર્યો અને તેને વાનરી પોતાના લતામંડપના. આશ્રય સ્થાનમાં લઈ ગઈ. ત્યાં તે વાનરી તેને સંતાનની નજીકમાં મૂકી, તે ભિલલની મે'માન ગતિ કરવા માટે, ફૂલ વિગેરે લાવવા માટે, તે વનમાં ગઈ. તેટલામાં તો અત્યંત ભૂખ્યા થયેલા તે દુષ્ટાત્મા તે ભિલે તેનાં સંતાનનું ભક્ષણ કરી દીધું અને ત્યારપછી તે ચિંતારહિત થઈ સૂઈ ગચો. ' ર * : , , , . અહીં તે વાનરી સ્વાદિષ્ટ ફળ લઈને ત્યાં આવી અને તે ભિલ્લને સૂતેલે , પણ તેણે પોતાના સંતાનેને કયાંય જોયાં નહીં. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036455
Book TitleMunipati Charitram
Original Sutra AuthorN/A
AuthorSanyamsagar
PublisherSimandhar Swami Jin Mandir Khatu
Publication Year1985
Total Pages222
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size114 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy