SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ (44) મહાવીરસ્વામીનુ ચરીત્ર. 7-8-0 મારાથી ન થઈ શકયું. અરે દેવી ! મને મૂકીને તું કયાં ગઈ? એક વાર આવીને તારૂ સ્થળ મને જણાવ. ત્યાં આવી તારૂં સુખ જોઈ હું તૃપ્ત થાઉં.” આ પ્રમાણે વિલાપ કસ્તા દુઃખી ૨જાને મહાન મૂછી આવી ગઈ. શીપચાર કરતાં જાગૃતિમાં આવેલે રાજા પ્રધાને કહેવા લાગ્યું. હે મંત્રીશ્વરે ! તમે સર મારું એક વચન સાંભળો. ' આટલે લાંબે વખત જવા છતાં પણ તમે કઈ દેવીને સજીવન કરી ન શકયા. મારે નિચે દેવીની સાથે મરવું છે. નહિતર દેવીના વિરહથી મારા પ્રાણ પોતાની મેળે જ ઉડી જશે. પ્રધાને ! હવે વિલંબ ન કરે. ગળા નદીના કિનારા ઉપર કાષ્ટની ચિતા જલદી તૈયાર કરે. રાણીના વિયોગથી દગ્ધ થતા મારા આત્માને, ચિતામાં પ્રવેશ કરાવી શાન્તિ આપું. અશ્રુ જળથી પૃથ્વી તળને ભીંજાવતા પ્રધાને કહેવા લાગ્યા હા ! હા ! હા મહારાજ ! આજે અમે સવે જીવતા જ રસાતળમાં પેઠા સૂર્ય અસ્ત થયા પછી શું કમળાકર વિકસિત હોય ! પિતાના મરણ પછી નિરાધાર બાળકોની શી દશા ! કોણ આધાર ! પાણી વિના જેમ માછલાઓ ઝરી કૃરી તરફડી તરફ, પ્રાણ ખુવે છે તેમ હે નાથ ! તમારા સિવાય પુણ્યવિનાના, અનાથ અને પૃથ્વી પીઠ પર આળોટતા અમારી શી સ્થિતિ થશે ? અમારા પર પ્રસન્ન થાઓ. આ મેહ મુકી છે. ધર્યતા ધારણ કરે. મરણના પરિણામ મૂકી ચિરકાળ રાજ્ય કરે. તમારા સિવાય શત્રુઓ રાજ્ય ગ્રહણ કરશે. રૅરની માફક પ્રજા રોળાશે પૃથ્વી નિરાધાર થશે, અને અમે અનાથ થઈશું. હે રાજન !, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036450
Book TitleMalaya Sundari
Original Sutra AuthorN/A
AuthorKesharvijay Gani
PublisherKeshavlal Savaibhai Shah
Publication Year1913
Total Pages409
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size244 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy