SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ ઉદ્યમ ન કરી શ કરવા પ્રયત્ન ) વિવેક મનુષ્યએ વિચાર કરે છેશક્તા નથી આપણે બન્નેએ ( 34 ) મલ્યા સુદરી નેવેલ. 0-10-0 ઉદ્યમ ન કરતાં કાર્યસિદ્ધિ કેવી રીતે થશે ? માટે આપણે અ. ત્યારથી જ પુણ્યવૃદ્ધિ કરવા પ્રયત્ન કરવો જોઈએ. જે કાર્ય સામવડે કે ધનવડે સિદ્ધ નથી થતું, તે કાર્ય માટે વિવેકી મનુષ્યએ શોચ નહી કરવા જોઈએ. પણ તે કાર્ય સિદ્ધિમાં આડે આવતાં વિદને શોધી કહાડી તેને દૂર કરવા પ્રયત્ન કરવો જોઈએ. માટે હે નાથ : અંત થાઓ, ચિંતાને ત્યાગ કરે. ચિંતાથી વિક્ષિપ્ત ચિત્તવાળાં મનુષ્ય ધારેલા કાર્યને પાર પામી શકતા નથી. વળી, આ વખતે મને એક વિચાર સ્કૂરે છે કે, પુત્ર પ્રાપ્તિ નિમિત્તે " આપણે બન્નેએ દેવની આરાધના કરવી. કેમકે પુત્ર પ્રાપ્તિ માટે. દેવ સિવાય સામાન્ય મનુષ્યની શક્તિ નિરૂપયેગી છે. સમય સૂચક રાણીના વચનોથી રાજાને ઘણે હર્ષ થ.. રાજાએ જણાવ્યું“ દેવી ચંપકમાલા! તમારા જેવી ઉત્તમ સહચારિણીઓ, પતિનાં દુ:ખમાં ભાગ લેનારી હોય છે, એ મને ખાત્રી છે. એટલું જ નહિ પણ કોઈ કાર્ય પ્રસંગને લઈને પતિની બુદ્ધિ કુંઠિત થઈ ( મુંઝાઈ ), ગઈ હોય, એક અવસરે ધીરજ તથા, ઉત્તમ બોધ આપી શેક યા ચિંતા દૂર કરાવે છે, ઉત્સાહમાં વૃદ્ધિ કરે છે, અને સમાગમાં પણ દોરે છે. તે ખરેખર ધમપનીઓ છે. અને તેવી સદગુણસંપન્ન, બુદ્ધિમાન પત્નીને પામી આજે હું અહો ભાગ્ય હોઈ આત્માને કૃતાર્થ માનું છું. દેવી ! આજે તમે જે પુત્ર પ્રાપ્તિ નિમિત્તે પુણ્ય વૃદ્ધિ કરવાને ઉત્તમ રસ્તે જણાવ્યાં છે, તે ખરેખર પ્રશંસંનીય છે. " કારણ સિવાય કાર્યની નિષ્પત્તિ નથી. " એ દુનિયાના દરેક પ્રસંગમાં અનુભવાય છે. તે આ પણ દુનિયાને પ્રસંગ છે.. sarad tak trust
SR No.036450
Book TitleMalaya Sundari
Original Sutra AuthorN/A
AuthorKesharvijay Gani
PublisherKeshavlal Savaibhai Shah
Publication Year1913
Total Pages409
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size244 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy