________________ છે મ જીગનરિત્ર લખવાનો રીવાજ ઘણું લાંબા વખતથી ચાલ્યો આવે છે. જેના પ્રતાપથી આજે અસંખ્ય સમયઉપર થઈ ગયેલા અનેક પ્રાતઃ સ્મરણીય મહાત્મા–સ્ત્રી-પુરૂષેનાં ચરી ઉપલબ્ધ થઈ શકે છે, ( હૈયાતી ભોગવે છે. ) લાભાલાભ, હેપાદેય, કે ગુણદોષની પ્રબળ છાપ હદય પટ્ટપર પાડવામાં અને તેના દઢીકરણમાં સામાન્ય ઉપદેશ અને યુક્તિઓ જે કામ કરે છે તેના કરતાં શુભાશુભ કવિ પાકને પ્રગટ કરનારાં દષ્ટાંત કે, ચરિત્રે હજારો ગણું કામ કરે છે, તે નિર્વિવાદ છે. એટલું જ નહી પણ આવાં દેખાતે કે ચરીત્રોની અસર ઘણી ઝડપથી અને વિશેષ વખત ટકી શકે તેવી મજબુત થાય છે. પૂર્વાચાર્ય પ્રણીત અને ચરીત્રોમાં આ મલયાસુંદરીનું ચરીત્ર પણ ખરેખર એક ઉત્તમ જીવનચરીત્રને આરિસે છે. આ ચરીત્ર લખવાનો ઉદ્દેશ-હેતુ-કે પ્રજન, મનુષ્યોને શુભાશુભ કર્મનાં સુખ, દુઃખરૂપ વિપાકે બતાવી, પાપીઓને મલીનવૃત્તિ અને નઠારાં આચરણેથી નિવૃત્તિ કરાવી ( પાછા હઠાવી–રોકાવી ) ઉત્તમ વૃત્તિ અને પવિત્ર આચરણે તમ્ફ પ્રવૃત્તિ કરાવવાનું છે, તેમજ કથાઓ વાંચવાના કે, સાંભળવાના વ્યસનીઓને ( રસકેને) ઉત્તમ કથાનાં રસમાં આસક્ત બનાવી, સત્કર્મનો વ્યવહારમાં પ્રવૃત્તિ કરાવવાને માર્ગ બતાવવાને છે. વળી આપત્તિમાં આવી પડે અથવા પરાધીન સ્થીતી પ્રાપ્ત થાય ત્યારે જ સન્માર્ગે ચાલે, તેવી પ્રકૃતિવાળા ( સ્વભાવવાળા) જીવોને, ઉત્તમ ચરીત્રવાળી સન્યૂક્તિઓના ( ઉત્તમ જીવન .'P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust