________________ ( 302 ) સદુપદેશમાળા 0-8-0 ઘેર દ્રવ્યથી વેંચી દીધી હતી. તે શું તે રાજાઓ હવે મારે બચાવ કરશે ? ના નહિં જ. ત્યારે હવે મારે શું કરવું ? મારા સર્વ મનોરથે નિષ્ફળ ગયા. રાજગુહે અને સ્વામીદ્રોહ કરનાર મને મારા કુટુંબ સહિત, આ રાજા મારી નાંખશે. પણ હવે એક ઉપાય છે તેનાથી મને જીવિતવ્ય મળવાની આશા છે. તે એજ કે, તેમને પુત્ર મારી પાસે છે, માટે તે પાછો આપવા બદલ, જીવિતવ્યની માગણી કરવી. એમ વિચારી સથવાહે જણાવ્યું. મહારાજા ! હું આપ સર્વને મહાન અપરાધી છું, છતાં આપ જે, મારા કુટુંબસહિત મને જીવિતદાન આપવાની દયા કરે તે હું આપને પુત્ર કયાં છે તે બતાવી આપું. પુત્ર જીવતે છે, તેમ સાંભળી સવને આનંદ થયે. રાજાએ દયા લાવી તેની માગણી કબુલ રાખી, એટલે સાર્થવાહે કોઈ એક ગુપ્ત સ્થળેથી, અન્ય મનુષ્ય પાસે, પુત્ર મંગાવી આપે. વરસાદના આગમનથી જેમ મયુરકુટુંબ આનંદ પામી નૃત્ય કરે છે, તેમ પુત્રને દેખી આખું રાજકુટુંબ આનંદમાં નૃત્ય કરવા લાગ્યું. સુરપાળ રાજાએ બળસારને પૂછ્યું કે, આ પુત્રનું તે શું નામ રાખ્યું છે ! બાળસારે જણાવ્યું મહારાજા ! તેનું નામ બળ રાખવામાં આવ્યું છે. સુરપાળ રાજાએ પુત્રને ખોળામાં લીધો. એ અવસરે તે રાજાની પાસે હાથમાં સે સોનામહોરની એક પિટલી હતી. તે બાળપુત્રે તરતજ પોતાના હાથમાં ખેંચી લીધી. તે દેખી સુરપાળરાજાએ તેનું નામ શતબળ સ્થાપન કર્યું. સુરપાળ રાજાએ, તે બળસાર સાર્થવાહનું સર્વસ્વ લુંટાવી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust