________________ ક . મુંબઈ શહેરનું વર્ણન. 0-6-0 ( ર૮૯) રહે છે, તેની પાસે મલયાસુંદરી છે. આ ખબર સાંભળતાં જ, પુત્ર, પુત્રીના વિયેગી બને રાજાએ, પોતપોતાના રાજ્યમાંથી પ્રબળ સૈન્ય લઈ ભીમ પલ્લી પતિને જીતીને મલયાસુંદરીને છેડાવવા માટે આવ્યા હતા. દુર્જય પલો પતિને, તેઓએ સૈિન્યબળથી એક લીલામાત્રમાં જીતી લીધે, અને ત્યાં સવે રથ મલયાસુંદરીની તપાસ કરી, પણ તે દુર્લભસુંદરીના સેહેજપણ સમાચાર ત્યાંથી ન મળ્યા, ત્યારે નિરાશ થઈ અને રાજાઓ પાછા પોતાના નગર તરફ જતા હતા, તે અવસરે સે. ચંદ્ર તેમને ત્યાં જઈ મળે.. બળસારનો કહે સર્વ વૃત્તાંત, સોમચંદ્ર સવિસ્તર વીધવળને નિવેદિત કર્યો. અને આઠ લાખ સોના મોહેર ભેટ તરીકે તેની આગળ મુકી. રાજા વિરધવળે, સેમચંદ્રનું કથન ધીરજથી સાંભળ્યું અને ને પૂર્વાપર વિચાર કરી, સિદ્ધરાજ સાથે યુદ્ધ કરી, બલસારને છોડવવાનું કબૂલ કર્યું. રાજા વિરધવળે, આઠ લાખ સુવર્ણમાંથી અરધો અરધ. સુવર્ણ સુરપાળ રાજાને આપ્યું અને સિદ્ધરાજને પરાભવ કરી, બલસારને મુકત કરવા માટે સાથે આવવા જણાવ્યું. રાજા સુરપાળે પણ ઉડા લેભ સમુદ્રને પુર્ણ કરવા માટે, રાજા વીરાવળના વિચારને ટેકે આપે. અર્થાત્ સાથે આવવામાટે હા કહી. અને જણાવ્યું કે, તે રાજા સાથે આપણે વંશપરંપરાથી વૈર ચાલ્યું આવે છે, તે આ પ્રસંગે તે રાજાને મારીને આપણા વેર સાથે તેનું સર્વસ્વ ગ્રહણ કરીશું. ' - TITITHI P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust