________________ આગબોટના એનજીનીયરેના દાખલા -2-0 (રાપ) દેખાય ત્યારે સુરપાળરાજાને ઘણું દુઃખ થયું. તેણે નિશ્ચય કર્યો કે, પ્રિયાના વિયેગથી તે અહીં રહી શકી નથી. અને તેની શોધ માટેજ ગુપ્તપણે કઈ સ્થળે ચાલે ગયે જણાય છે. અત્યાર સુધી સુરપાળરાજાને એક ચિંતા હતી. મહાબળના જવાથી તેને બીજી ચિંતા થઈ. રાજાએ બન્નેની શોધ માટે ચારે બાજુ માણસો દેડાવ્યાં. અને પોતે ઉદાસીનપણે સચિંત થઈ રહ્યો. પ્રકરણ 35 મું. જંગલમાં મલયાસુંદરી–પુત્ર જન્મ. સુભટોના ગયા પછી આ જંગલમાં મલયાસુંદરી એકલી બેઠી હતી. તેની ચારે બાજુ હિંસક પ્રાણીઓના ભયંકર શબ્દો થઈ રહ્યા હતા. અંધારિ રાત્રી, અરણ્ય પ્રદેશ, અબળા જાતિ અને હિંસક પ્રાણીઓના શબ્દો આ સ નિમિત્તે તેના દુઃખમાં વૃદ્ધિ કરનારજ હતાં. : - - અહા ! આ નિર્દય રાજપુ, આવા ઘેર જંગલમાં મને એકવી મુકીને ચાલ્યા ગયા. ખેર ! પણ મારે એવું તે શું અપરાધ હશે કે રાજા તરફથી આવો દંડ આપવાની જરૂર પડી. મારા હૃદયમાં આ વાત વિશેષ પ્રકારે ખટકે છે કે, મારે અપરાધ જણાવ્યા સિવાય મને આવો અસહ્ય દંડ આપે. સસરા સુરપાળ ! તું આવે બુદ્ધિમાન છતાં અત્યારે તારી બુદ્ધિ કયાં ચાલી. યઈ ! અથવા તેને બહુ ભલા માણસ છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust