SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ પર . નામ પૂ. ઉપાધ્યાય મહારાજ શ્રી ધર્મવિજયજી ગણિવર હતું. તપ, જપ, જ્ઞાન, ધ્યાન, વૈયાવચ્ચ આદિ ઉત્તમ ગુણોથી અલંકૃત બનીને પંન્યાસ પદથી વિભૂષિત થયા. વિ. સં. 2014 અષાડ સુદિ 2 ના તેઓશ્રી મુંબઈ (અંધેરીમાં) સમાધિપૂર્વક સ્વર્ગવાસી થયા. પિતાના મહાઉપકારી સંસારી પિતા પંન્યાસજી મ.શ્રીને પૂ.પાદ આચાર્ય મહારાજશ્રીએ અંતિમ આરાધના કરાવી. આવી જ રીતે પિતાની ઉપકારી સંસારી મોટી બહેન પ્રવર્તિની પૂ. સાધ્વીરન પ્રશાંત વિદુષી શ્રી દર્શનશ્રીજી મ.ને પણ તેઓશ્રીએ વિ. સં. ૨૦૨૨માં પાટણમાં કેન્સરની દુઃસાધ્ય વ્યાધિમાં અંતિમ આરાધના કરાવી. સા. શ્રી દર્શનશ્રીજી મહાપ્રભાવશાળી તપસ્વીની તેમજ શુદ્ધ સંયમ ધારિણી હતાં. આજે તેઓશ્રીને શિષ્યાપ્રશિષ્યા પરિવાર 111 સંખ્યા લગભગ છે. પૂજ્યપાદશ્રીએ ન્યાય-તિષ તેમજ જૈન સિદ્ધાંતનું તલસ્પર્શી જ્ઞાન પૂજ્ય પરમ તારક ગુરુદેવશ્રીની પુણ્ય કૃપાથી પ્રાપ્ત કર્યું છે. તેઓશ્રીની યોગ્યતા જોઈને ગચ્છાધિપતિ પ. પાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજશ્રીએ પિતાના વરદ હસ્તે તેઓશ્રીને મહા સુદિ 5 વિ. સં. ૨૦૦૫માં અમદાવાદમાં ગણિ પદ-પંન્યાસપદથી અલંકૃત કર્યા. તેઓશ્રીએ મુંબઈ ભુલેશ્વર લાલબાગમાં 23 વર્ષની વયમાં છઠ્ઠના બે વર્ષીતપની તપશ્ચર્યામાં પૂ.પાદ ગુરુદેવની આજ્ઞાનુસાર વિ.સં. ૧૫ની સાલમાં ચાતુર્માસ કરીને હંમેશા સુંદર શૈલીથી, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036447
Book TitleKatharatna Manjusha Dhanya Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaykanakchandrasuri
PublisherVishvamangal Prakashan Mandir
Publication Year1981
Total Pages537
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size300 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy