SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ 0 0 0 0 0 0 0 0 સુનંદા અને રૂપસન : 153 અને સર્વ વાત સમજી જઈને તેણે વિચાર્યું કે, “આ યુવાન દમ્પતીને વિલાસ જોઈ યૌવનનો ઉદય થવાથી તેનાં ચિત્તમાં વિકૃતિ થઈ જાય છે, અને પિતાને પણ આવું -સુખ ક્યારે મળશે? તે સંબંધી ચિંતામાં તે પડી લાગે છે.” - પછી તેણે સ્મિત કરી મીઠા શબ્દોથી સુનંદાને કહ્યું, સ્વામિની! આ તમે જૂએ છે તે તમને ગમે છે કે નહિ ?" આમ બે ત્રણ વાર પૂછવાથી સુનંદા પણ જરા હસીને એક દીર્ઘ નિઃશ્વાસ નાખીને બોલી; “સખી ! મહારા ‘ભાગ્યમાં આવું સુખ કયાંથી?” જવાબમાં તેની સખી વસંતે કહ્યું, “આવાં દીન વચન ન બોલો! હમણાં જ માતા પાસે જઈ, તમારા વિચાર જણાવીને, થોડા દિવસમાં જ તમારાં દુઃખનો અંત લાવી તમને સુખસાગરમાં મૂકી દઈશ. આમ મનમાં ને મનમાં શું મૂંઝાવ છે?” વસંતનું આ કહેવું સાંભળી સુનંદા બોલી; “સખી, હમણાં મા પાસે કાંઈ વાત કરતી નહિ. મને આ વાતની બહુ શરમ લાગે છે. ધીમે ધીમે યુક્તિ પ્રયુક્તિથી જણાવી દિઈશું, હમણાં નહિ.' - “બહેન ! અહિથી ચાલે જેમ જેમ તમે આ વધારે -વાર જોશો તો તેમ તેમ તમારું દુખ વધતું જશે; માટે નીચલે માળે જઈ તમારું દુઃખ ટાળવાનો ઉપાય કરીએ. આ પ્રમાણે કહી સુનંદાને હાથ પકડીને વસંત તેને નીચે લાવી, ને બજાર તરફ પડતી બારી પાસે જઈને તેઓ બજાર તરફ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036447
Book TitleKatharatna Manjusha Dhanya Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaykanakchandrasuri
PublisherVishvamangal Prakashan Mandir
Publication Year1981
Total Pages537
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size300 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy