SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ 12 દ્વારા ધર્મશીલ વાચકવર્ગને સદુપદેશ આપવા મૂલ ગ્રંથકારશ્રીએ બેધક, પ્રેરક, તથા અનેક રીતે ઉપકારક વિવિધ કથાઓ પ્રાસંગિક રીતે આ મૂલ ગ્રંથમાં ખૂબ જ કાળજીપૂર્વક અદ્દભુત શૈલીએ સંયેજિત કરેલી છે. તેની વિશિષ્ટ પ્રકારની સંકલના આ ગ્રંથ રનમાં મેં કરેલી છે. જેથી આ ગ્રંથરત્નને ખરેખર બાધક ને ઉપકારક ધર્મકથાઓના રત્નથી પરિપૂર્ણ મંજૂષારૂપે કહી શકાય. માટે જ પ્રસ્તુત ગ્રંથરત્નને કથારત્નમંજૂષા”નું અભિધાન આપેલ છે. આ ગ્રંથરત્નમાં મૂલથા તે ધર્મના મુખ્યભેદ સુપાત્રદાનના મહિમાને તથા તેના લૌકિક-લે કેત્તર સિદ્ધિઓને વર્ણવવા દ્વારા મહાભાગ્યશાળી ધન્નાકુમાર તથા મહાપ્રભાવશાળી શાલિભદ્રનાં જીવનની અનેકવિધ ચમત્કારિક અદ્ભુત ઘટનાઓને આલેખે છે. તેમાંયે મુખ્યત્વે તે મહાપુણ્યવંત શ્રી ધન્નાજીના જીવનની અદ્ભુત કેત્તરગૌરવગાથા અહીં કથાકારે ખૂબ ભવ્ય ને તેજસ્વી શેલીએ વર્ણવી છે, અને કથાલેખક પૂ.પાદશ્રીની લેખિની, ભાષાસંકલના તથા મને મુગ્ધર રસપ્રદ પદ્ધતિ પૂર્વક પ્રાસંગિક કથાઓ-દષ્ટાંત તેઓશ્રી એવી અજબ શૈલીએ સકલિત કરે છે, જે ખરેખર અદ્દભુત વિક્રમ સજી જાય છે, જેથી વાંચનાર વાચકવર્ગ બંધ સાથે રસસાગરમાં તરબળ બને છે. પ્રસ્તુત ગ્રંથરત્ન “કથા રન મંજૂષા ભાગ - 1 ની” પ્રથમ આવૃત્તિ આજથી વર્ષો અગાઉ મેં સંકલિત કરીને તૈયાર કરેલ, ને તે મારા પરમવિનેય શિષ્યરત્ન ઉપાધ્યાયજી શ્રી મહિમાવિજયજી ગણિએ સંપાદિત કરેલ, જે તે સમયે પ્રસિદ્ધ થયેલ. જેમાં મૂલ ધન્યચરિત્ર ગદ્યના નવ સર્ગોમાંથી સાત P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036447
Book TitleKatharatna Manjusha Dhanya Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaykanakchandrasuri
PublisherVishvamangal Prakashan Mandir
Publication Year1981
Total Pages537
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size300 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy