SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ 21. થતાં રાજાને નિવેદન કર્યું. રાજા આથી ક્રોધે ભરાયો અને કમઠને ગધેડા પર બેસાડી સારાયે નગરમાં ફેરવી દેશનિકાલ કર્યો. કમઠ લજજાથી શરમી દો બની તાપસ બની ગયો. અને જંગલમાં રહી અજ્ઞાન તપ તપવા લાગ્યા. આ સમાચાર જાણ ભરૂભુતિ કમઠને મળવા રાજાની આજ્ઞા લેવા ગયો. પણ રાજાએ ત્યાં ન જવાની સલાહ આપી. પછી તેને અત્યંત ભાવ જોઈ રજા આપી ને સાવધાન રહેવા કહ્યું. ભરૂભુતિ જ્યારે કમને મળવા ગયો. ત્યારે કમઠ તાપસ એક હાથમાં મોટો પત્થર ઉપાડી હાથ ઉંચો રાખી તપસ્યા કરી રહ્યો હતો. મરૂભુતિ તો ભાઈને જોતાંવેંત પશ્ચાત્તાપ પૂર્વક ભાઈને અમાવતો, બે હાથ જોડી ચરણમાં વંદન કરવા ગયે. ત્યારે કમઠ તાપસના અંતઃકરણમાં તો પિતાની થયેલી વિડંબના યાદ આવી. તેના હૃદયમાં મરૂભુતિ પ્રત્યે અત્યંત ગુસ્સે ભારે હતે. તે ઉકળી ઉઠયો ને વંદન કરી રહેલા નાના ભાઈના મસ્તક પર હાથમાં રહેલી ભારે શીલા જોરથી મારી. તેથી આર્તધ્યાને મૃત્યુ પામી સમકિત વમી ભરૂભુતિનો જીવ વિંધ્યાચળ પર્વતમાં હાથી પણે ઉત્પન્ન થયે. બીજો ભવ : ભરૂભુતિના આવા દુઃખદ મૃત્યુના સમાચાર જાણી અરવિંદ રાજને દુઃખ થયું. પછી એક વાર આકાશમાં જામેલા ઘટાટોપ વાદળાઓને એકાએક નષ્ટ થતાં જોઈ, રાજાને સંસારનું સ્વરૂપ આવું ક્ષણિક છે તેમ સમજાયું. તેથી વૈરાગ્યવાસિત બની તેમણે દીક્ષા લીધી. તેમણે સાગરદત્ત શેઠને ઉપદેશ આપી. મિથ્યાત્વ છેડાવી જેન ધમ બનાવ્યો. એક દિવસ તે સાગરદત્ત શેઠ વેપાર–અર્થે સાથે લઈને પરદેશ જતો હતો. તેથી જ ધર્મબોધ સાંભળવા અરવિંદ મુનિને પણ સાથે લીધા. માર્ગમાં વિંધ્યાચળ અટવીઆવતા અરવિંદ મુનિને ભરુભુતિ હાથીને ભેટે થયો. પિતાના P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036446
Book TitleKalyan Mandir Stotram
Original Sutra AuthorN/A
AuthorRasiklal Chhaganlal Sheth
PublisherNiranjan Rasiklal Sheth
Publication Year
Total Pages98
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size55 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy