SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ કલ્યાણમંદિર સ્તોત્ર માટે “રિક્ષા સિદ્ધસેનો વિવાયરો નાગો' અર્થાત્ વીર નિર્વાણથી 500 વર્ષે સિદ્ધસેન દિવાકર થયા.”મહાનિશીથ સૂત્રમાં પણ સિદ્ધસેન દિવાકરનો ઉલ્લેખ આવે છેઆ બધું જોતાં એ તે નિશ્ચિત થાય છે કે શ્રી સિદ્ધસેન દિવાકર, પ્રસિદ્ધ પાલવંશી રાજા ધર્મપાલના પુત્ર દેવપાલના સમકાલીન તે નથી જ. શ્રી સિદ્ધસેન ભરુચમાં આવ્યા ત્યારે ત્યાં બલમિત્રના પુત્ર ધનંજયનું રાજ્ય હોવાનો ઉલ્લેખ મળે છે, એથી તેઓ વિક્રમના સમકાલીન હોય એવા ટેકે મળે છે. પણ અન્ય પ્રમાણે જોતાં એ બંનેનું સમકાલીનપણું સંભવિત જણાતું નથી. દેવપાલ રાજાના આગ્રહથી શ્રી સિદ્ધસેન દિવાકરે હાથી અને પાલખીની સવારીને સ્વીકાર કર્યો હતે. એ પરથી લાગે છે કે તેઓ વિક્રમના પહેલા સૈકામાં નહિ, પણ ચોથા કે પાંચમા સૈકામાં થયા હોવા જોઈએ; કારણ કે તે સમયમાં જ આવા પ્રકારનો શિથિલ આચાર જૈન શ્રમણમાં ચાલુ થયે હત; તે પહેલાં નહિ. શ્રી વૃદ્ધવાદિ સૂર અનુગધર આર્ય સ્કંદિલના શિષ્ય હોવાનું જણાવાયું છે. આર્ય સ્કંદિલને સમય વીર સંવત 827 થી 840 ( વિક્રમ સંવત 357 થી 370 ) સુધીમાં આવે છે. આ સમય દરમ્યાન વૃદ્ધવાદી સૂરિએ દીક્ષા લીધી હોય એમ માનીએ તે, એમના શિષ્ય સિદ્ધસેન દિવાકરને સમય વિકમના ચોથા સૈકાના અંતમાં અને પાંચમા સૈકાના પૂર્વાર્ધમાં આવે છે. આ પરથી શ્રી સિદ્ધસેન દિવાકરને IIIIIIIIIII P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036445
Book TitleKalyan Mandir Stotra
Original Sutra AuthorN/A
AuthorSaryu R Mehta
PublisherAsiatik Charitable Trust
Publication Year1978
Total Pages275
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size150 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy