SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ કલ્યાણમંદિર સ્તોત્ર 149 દેવદુંદુભિ જગતના જીવોને સંદેશો આપે છે કે, “હે છે! તમે પ્રમાદને ત્યાગ કરે, અને આ મેક્ષનગરીમાં લઈ જતા સાર્થવાહ શ્રી પાર્શ્વનાથ પ્રભુને ભજે.” આ વચને વિચારવા યેગ્ય છે. તો ત્રણે લેકના જીવેને પ્રમાદ તજવાને સંદેશે અહીં અપાયેલું જોવા મળે છે. આ જગતમાં પ્રમાદને કારણે જ જી પરિભ્રમણ કર્યા કરે છે. પ્રત્યેક જીવ સુખને તે ઈચ્છે છે. પણ સુખ મેળવવા માટે જે યથાર્થ ઉપાય કરવા જોઈએ તે, તે કરતે નથી; અને પ્રમાદમાં રહી, બીજા બીજા કલ્પનાથી માનેલા સુખના અનેકવિધ ઉપાય કરે છે. પરિણામે તેને સાચું સુખ મળતું નથી, અને જગતની ચારે ગતિનું પરિભ્રમણ ચાલુ રહે છે. પ્રમાદ એટલે શું ? પોતાના આત્માને ઉજજવળ કરવાના ઉપાયમાં અનુદ્યમી રહેવું, તેને જ શ્રી પ્રભુ પ્રમાદ કહે છે. અલ્પ સંખ્યાને બાદ કરતાં જગતના સમસ્ત જીવે આ પ્રકારના પ્રમાદમાં પડ્યા છે. એટલે કે જેમાં પિત ના આત્માનું કલ્યાણ સમાયેલું છે તે પ્રકારના ઉદ્યમમાં સાવ નિરુત્સાહી રહે છે, અને જગતનાં કહેવાતા સુખની પ્રાપ્તિ માટે બધો સમય વેડફે છે. પરિણામે સુખ મળતું નથી અને દુઃખની ગર્તા છૂટતી નથી. આ રીતે વર્તવું તે જીવને પ્રમાદ છે. આ પ્રમાદ છોડવાને શુભ સંદેશ દુંદુભિ આપે છે. પ્રમાદ છેડી આત્મપ્રાપ્તિ માટે ઉદ્યમી થવાનું તે જણાવે છે. પ્રમાદ છેડીને કરવાનું છે શું ? “શ્રી પાર્શ્વનાથ પ્રભુને ભજવાના છે.” જે પ્રભુ સર્વ કર્મથી મૂકાયા છે, જે કેવળજ્ઞાન તથા કેવળદર્શન P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036445
Book TitleKalyan Mandir Stotra
Original Sutra AuthorN/A
AuthorSaryu R Mehta
PublisherAsiatik Charitable Trust
Publication Year1978
Total Pages275
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size150 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy