SearchBrowseAboutContactDonate
Page Preview
Page 474
Loading...
Download File
Download File
Page Text
________________ તેરમો સર્ગ. (55) શત્રુઓના ગર્વને હણી નાંખ્યા. તે વખતે સૈન્ય સહિત તે હજાર યોદ્ધાઓને મહા સંગ્રામ યમરાજના જ પોષણ અને સંતોષને માટે થયે. સીરૂપ પણ મહાવીર વીરાંગદ યુદ્ધમાં વૈરીને સંહાર કરવાથી યમરાજની ઉપમાને ધારણ કરતો હતો. ગજસિંહે પણ તીક્ષણ બાવડે શત્રુઓને ક્ષય કરી અને ચિરકાળ સુધી યુદ્ધ કરી તે વિરાંગદને વ્યાકૂળ કરી દીધું. ત્યારે વીરાંગદે તેનાપર નગવિદ્યાએ કરીને એક મોટો પર્વત મૂકે, તેને ગજસિંહ અશનિવિઘાવડે ચૂર્ણ કરી નાંખે. પછી ગજસિંહે વીરાંગદ ઉપર વિદ્યાસિંહ મૂકે, એટલે ક્રોધથી ઉદ્ધત થયેલે તે વિદ્યાસિંહ જેટલામાં તેવીરાંગદ હૈદ્ધાના વાહનરૂપ હાથીને ખાવા જાય છે, તેટલામાં તે વીરાંગદે શરભ વિદ્યાનું સ્મરણ કર્યું, તેથી તત્કાળ શરભ પ્રગટ થયો, અને તે વેગથી શત્રુઓના સિંહોને હણવા લાગે એટલે તે શરભને હણવા માટે ગજસિંહે તેના પર ઘણું બાણ મૂક્યાં, તથા ખર્ક અને ગદા વિગેરે હજારો આયુધ મૂક્યાં. તે પણ તે દુષ શોભે ગર્જના કરી આકાશમાં ઉડી સર્વ શાસ્ત્રના સમૂહને ભેદી ગજસિંહને નખોવડે હણને પાડી દીધું. પછી હાથીને બાંધનાર પુરૂષ જેમ વારિમાં પડેલા હાથીને રડાવડે બાંધીને પકડી લે તેમ પડી ગયેલા ગજસિંહને વીરાંગદે નાગપાશવડે બાંધીને પકડી લીધો. તેમ જ સ્ત્રીરૂપધારી મહાબાહુએ ચિરકાળ સુધી બાણનું યુદ્ધ કરીને ગજાનનના ઉપર અગ્નિને વરસાવતી શક્તિ મૂકી. તે શક્તિને ગજાનને પણ જેમ અનિત્ય ભાવનાવડે ડાહ્યો પુરૂષ સંસારની તૃષ્ણને હણે તેમ લીલામાત્રમાં સામી શક્તિ વડે હણી નાખી. ત્યારપછી તે મહાબાહુએ તે ગજાનન વૈરી ઉપર મહાસ મૂકયું, તેનાથી તે મેહ (મૂછી) પાપે એટલે તેને બાંધીને પકડી લીધે. એજ પ્રમાણે સ્ત્રીરૂપધારી સુષ વિગેરે વિરે પોતાની સામે યુદ્ધ કરનારા યોદ્ધાઓને ચિરકાળ સુધી લેહનાં દિવ્ય શસ્ત્રોવડે ભયં. કર એવા યુદ્ધવડે ખેદ પમાડી, વિવિધ શસ્ત્રોવડે જરિત કરી તથા શ્રમિત લથપોથ) કરી નાગપાશાદિકવડે બાંધીને એકી સાથે પોતાના શિબિરમાં લઈ ગયા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036444
Book TitleJayanand Kevali Charitra
Original Sutra AuthorN/A
AuthorMunisundarsuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1927
Total Pages595
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size538 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy