________________ બારમા સર્ગ. (45) ઘાતથી ઉત્પન્ન થતા શબ્દવડે ભયંકર રીતે યુદ્ધ કરતા અને સર્વ પ્રકારે નિર્ભય એવા તે બન્ને પૃથ્વી, વૃક્ષો અને પર્વત સહિત કંપવા લાગ્યા. તે બનેની ગર્જનાથી દિશાઓ ગાજી ઉઠી, તેઓ નીચે પડતા ત્યારે પર્વત પડી જતા હતા, તેઓ ઉડતા હતા ત્યારે કેતુક સહિત દે આકાશમાં ઉડતા હતા, અને તેઓ પરસ્પર એક બીજાની પાછળ ભમતા હતા, ત્યારે તેમની પાછળ સર્વનાં નેગે ભમતાં હતાં. “કેણ બુદ્ધિમાન માણસે સ્વામીઓને ને અનુસરે ?" આ પ્રમાણે ચિરકાળ સુધી યુદ્ધ કર્યા પછી રાજાએ તે દુષ્ટ દેવને તેના પગે પકડી ક્રોધથી પોતાના મસ્તક ફરતો ફેર, અને પછી ધોબી જેમ વસ્ત્રને પછાડે તેમ તેને એક શિલાપર પછાડી તેની છાતી પર પગ મૂકી જગતને જીતનાર રાજાએ તેને કહ્યું કે–“રે રે! દુષ્ટ દેવ ! હજુ પણ જે તારામાં કાંઈ બળ હોય તે તે બતાવ. નહીં તે ઈષ્ટ દેવનું સ્મરણ કર, અને એમ પણ ન કરવું હેય તે હરણ કરેલી સ્ત્રીને પાછી આપ.” તે સાંભળી આકંદ કરતે તે દેવ બે કે “હે જગતમ! મને મૂકી દે, હું તારે દાસ છું, સર્વદા તારી સમગ્ર આજ્ઞાને હું પાળીશ.” તે સાંભળી કૃપાળુ જ્યાનંદ રાજાએ તેને મૂકી દીધો, અને દેએ તેના પર પુષ્પવૃષ્ટિ સહિત જય જય શબ્દ કર્યો. પછી શીઘપણે તે દેવે પિતાના ભવનમાં જઈ તે સ્ત્રીને લાવી, રાજાને ભેટ કરી અને તેને નમસ્કાર કરી પિતાને અપરાધ ખમાવ્યા. પવનવેગ વિગેરેએ હર્ષના શબ્દ કર્યા અને રાજાએ સ્તંભનથી મુક્ત કરેલા તે દેવના પરિવારે રાજાને નમસ્કાર કર્યો. પછી દેવે રાજાને કહ્યું કે–“હે વીર ! સુર, અસુર અને મનુષ્યને વિષે તારી જે પરાક્રમી, નીતિવાળે અને દયાળુ બીજે કઈપણ નથી. હું અત્યાર સુધી કેઈથી જીતાયે નથી, આજે તેં મને લીલામાત્રથી જ જીતી લીધો છે અને કૃપા કરીને મને મુક્ત કર્યો છે, તે હવે તને શું આપીને હું કૃતાર્થ થાઉં?” તે સાંભળી રાજાએ તેને કહ્યું કે—મારે તારી પાસેથી કાંઈપણ જોઇતું નથી, પરંતુ અનંત ભવ સુધી દુખ આપવાના કારણરૂપ મિથ્યાત્વાદિકનો તું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust