SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ ( રર) જયાનંદ કેવળી ચરિત્ર.' લેવાથી મૂળકર્મપિંડ દોષ લાગે છે 1. આ સોળ ઉત્પાદનોના દે છે. આ દોષે સાધુથી ઉત્પન્ન થાય છે. હવે ગૃહસ્થી અને સાધુ એ બનેથી ઉત્પન્ન થતા એષણાના દશ દશે આ પ્રમાણે છે - संकिम 1 मक्खिअ 2 निक्खित्त 3, पिहिअ 4 साहरिअ 5 दायगु 6 मिस्से 7 / अपरिणय 8 लित्त 9 छड्डिअ 10, एसબો વણ દુવંતિ છે 210 || “દાતાર અથવા સાધુને આહાર દેતાં અથવા લેતાં આધાકમંદિક કોઈ પણ દેષની શંકા થાય છે તેને સંકિત દોષ લાગે છે 1, પૃથ્વી આદિ સચિત્ત અથવા મધ આદિ નિંદ્ય કે પોતે નિષેધ કરેલા અચિત્ત પદાર્થથી મિશ્રિત થયેલો પિંડ દેતાં અથવા ગ્રહણ કરતાં પ્રક્ષિત દોષ લાગે છે 2, પૃથ્વીકાય આદિ છકાય ઉપર સ્થાપન કરેલો અચિત્તપિંડ પણ દેતાં અથવા લેતાં નિક્ષિત દોષ લાગે છે 3, ફળ આદિ સચિત્ત વસ્તુથી ઢાંકેલી વસ્તુ દેતાં અથવા લેતાં પિહિત દેષ લાગે છે 4, દેવાના પાત્રમાં રહેલી કાંઈક બીજી વસ્તુને સચિત્ત પૃથ્વી આદિ ઉપર મૂકી તે પાત્રવડે દેતાં અથવા લેતાં સંહત દોષ લાગે છે 5, બાળ, વૃદ્ધ, નપુંસક, ધ્રુજતો, અંધ, મદેન્મત્ત, હાથપગ વિનાનો, બેડીમાં નાંખેલે, પાદુકા ઉપર ચડેલો, ખાંસીવાળા, ખાંડનાર, પીસનાર, ભુજનાર, કાપનાર, પીંજનાર, દળનાર, ફાડનાર, તોડનાર વિગેરે છકાયના વિરાધક મનુષ્ય પાસેથી તેમજ ગર્ભિણ, તેડેલા છોકરાવાળી તથા ધાવતા બાળકવાળી સ્ત્રી પાસેથી આહાર લેતાં દાયક દોષ લાગે છે 6. સચિત્ત ધાન્યના કણથી મિશ્રિત સાકર વિગેરે વસ્તુ દેતાં અથવા લેતાં ઉત્મિશ્ર દેષ લાગે છે 7, પૂર્ણ અચિત્તપણું પામ્યા વિનાની વસ્તુ દેતાં અથવા લેતાં અપરિણત દેષ લાગે છે 8, અકલ વસ્તુથી લેપાયેલા પાત્ર કે હસ્તવડે દેતાં કે લેતાં લિપ્ત દોષ લાગે છે , તથા પૃથ્વી પર ઘી આદિનાં ટીપાં પડતાં હોય એવી રીતે દેતાં અથવા લેતાં છર્દિત દોષ લાગે છે, કારણ કે તેવી રીતે કરતાં ત્યાં રહેલા અને બીજા આગંતુક P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036444
Book TitleJayanand Kevali Charitra
Original Sutra AuthorN/A
AuthorMunisundarsuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1927
Total Pages595
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size538 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy