SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ નવમે સર્ગ. " (ર૪૧) * આ પ્રમાણે મનમાં કેતુવાળી સર્વ સભા ભરાઈ ગઈ, ત્યારે કુમાર વિષે પૂર્વરંગ કરવાપૂર્વક નાટક શરૂ કર્યું. તે વખતે મૃદંગ, વંશ અને વણાદિક વાજિત્રોને નાદ થવા લાગે." મધુર ધ્વનિવાળા ગંધર્વોના ગીતના મનહર શબ્દો થવા લાગ્યા.” એ રીતે વિચિત્ર કરણો સહિત, સુંદર તાલ અને લયને અનુસરનાર પિતાનાજ ચરિત્રનું નાટક તે માયાવિપ્રે શરૂ કર્યું. તેમાં આ પ્રમાણે વૃત્તાંત હતો - વિજયપુર નગરમાં જય અને વિજય નામે બે ભાઈ રાજપુત્ર હતા. તેમાં જયને સિંહસાર નામે પુત્ર હતો અને વિજયને ગુણવાન એ જયાનંદ નામે પુત્ર હતા. જયાનંદ કુમારે એક કેવળીની પાસે પર્વત પર જઈ જેનધર્મ અંગીકાર કર્યો હતે. પછી જયાનંદ દેશાંતરમાં નીકળે. પ્રથમ વિશાલપુર નગરમાં વિદ્યાનો અભ્યાસ કર્યો. ત્યાં રાજકન્યા સાથે પરણ્ય. પછી પેલીમાં ગિરિમાલિની દેવીને પ્રતિબંધ પમાડ્યો. પછી કનકપુર નગરમાં આવી તે ઘૂત રમવા લાગ્યા. ત્યાં રાજકન્યાને પરણ્યો અને રેલણદેવીને પ્રતિબેધ પમાડ્યો, તેમજ શુકર સાથે યુદ્ધ કર્યું, તાપસપતિને પ્રતિબોધ કર્યો અને તેની પુત્રીને પરણ્યા. દેવ સાથેના યુદ્ધમાં મલયમાલ નામના દેવને જીત્યા, તે દેવે તેને મહા ઔષધિઓ આપી. પછી તે . રત્નપુર નગરે ગયો. ત્યાં રાજપુત્રી રતિસુંદરીના નાટકમાં સ્ત્રીવેષે " ગ, રતિસુંદરીને પરણ્ય અને પછી ભિલ્લનું રૂપ કર્યું. ઈત્યાદિ સમગ્ર વૃત્તાંત અભિનયપૂર્વક તે બટુએ કહી તથા કરી બતાવ્યા, ત્યારપછી ભિલ્લરૂપે પદ્દમપુર નગર આવી, રાજકન્યાને પરણી દેવકુળમાં ગયા. ત્યાં તે રાજપુત્રી અંધ થઈ, તેણીને તેણે એષધિવનવાં લોચનવાળી કરી. આ સર્વ અભિનય બરાબર બતાવ્ય; પરંતુ પોતાની પ્રિયાની માતા કમળા કે જે પડદાના છિદ્રમાંથી એક દષ્ટિએ આ નાટક જોતી હતી, તેણીને ભ્રાંતિ પમાડવા માટે તેણે નગર વિગેરે સર્વ નામ બદલી નાંખ્યા. તે આ પ્રમાણે-ભેગપુર નગરમાં ભગદત્ત નામે નાસ્તિક રાજા હતા. તેને સુજયા અને વિજયા નામની બે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036444
Book TitleJayanand Kevali Charitra
Original Sutra AuthorN/A
AuthorMunisundarsuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1927
Total Pages595
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size538 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy