SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ આઠમે સગ. (16) વચને સાંભળી જયકુમારે તેની પ્રશંસા કરી કે–“હે દેવ! તું પ્રતિબંધ પાયે, નિર્મળ મનવાળે થયો અને સાર્થક નામવાળે છે, તેથી તને ધન્યવાદ ઘટે છે.” એમ કહી કુમારે તેને સભ્યત્વ ઉચ્ચરાવ્યું અને હિંસાદિક ન કરવાના નિયમે આપ્યા. તે અંગીકાર કરી દેવે કહ્યું કે –“હે કુમાર! તમે ધર્મને દેનારા હોવાથી હું તમારે અનૃણ થઈ શકે તેમ નથી, તો પણ તમે કાંઈક વરદાન માગે કે તે આપીને હું ગુરૂને પૂજક તે થાઉં.” કુમારે કહ્યું—“હે દેવ ! મારે કોઈપણ માગવાનું નથી, પરંતુ આ સાધકને તેની વાંછિત ઔષધિઓ લેવા ઘો; કારણ કે તેટલા માટે જ એને અને મારે આ આરંભ છે.” દેવે કહ્યું “તમારા કહેવાથી કદાચ હું તેને ઔષધિઓ લેવા દઈશ, પરંતુ તે તેની પાસે રહેશે નહીં, કારણકે દેવે આપ્યા છતાં પણ ભાગ્ય વિના રહી શકતું નથી. હું તો તેને અનુજ્ઞા (રજા) આપું છું કે–ઔષધિઓના કલ્પને જ્ઞાતા તે પોતે જ ઔષધિઓને ઓળખીને પોતાની મેળે જે જોઈએ તે ગ્રહણ કરે; પરંતુ પ્રથમ તો હું આપું તે ઔષધિને ગ્રહણ કરીને તમે મારા પર કૃપા કરો કે જેથી મારા પર્વતની આ સારભૂત ઔષધિવડે મેં ગુરૂની પૂજા કરી કહેવાય.” એમ કહી તેણે કુમારને પાંચ શ્રેષ્ઠ ઔષધિઓ આપી. તે કુમારે પણ ગ્રહણ કરી; કારણકે સત્પરૂષ પ્રાર્થનાને ભંગ કરતાં ભય પામે છે. પછી દેવે કહ્યું કે –“હે કુમાર ! આ ઔષધિના અભુત મહિમાદિકને સાંભળો–આ બે આંગળ જાડી અને ચાર આંગળ લાંબી પીળા વર્ણની ઔષધિ છે, તેને પૂજવાથી તે હમેશાં પાંચસો રત્ન આપે છે. તેને સાધવાને મંત્ર આ પ્રમાણે છે “મામૈરવિ ત્તાં હૈ oN Raa ત્રિવિતરવિતર વાહા” તેટલાજ પ્રમાણવાળી આ બીજી રાતી ઔષધિ છે, તેને સાધીને તેની પાસે માગવાથી તે “શું આપું?” એમ બોલે છે અને જે માગો તેનાથી બમણું લે. ત્રણ ગણું લે.” એમ બેલે છે. પણ તે કાંઈ આપતી નથી. તેને સાધવાને મંત્ર આ છે -" મહાજાતિનિ ઝા જૈ જૈ મહાશ્રિયં વહ વ aaaa " આ ઐ૨૧ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036444
Book TitleJayanand Kevali Charitra
Original Sutra AuthorN/A
AuthorMunisundarsuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1927
Total Pages595
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size538 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy