SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ કેવલી બોલ્યા--હે વત્સ, આમ હોવાનું કારણ ઘણું મોટું છે તે હું તને, સંક્ષેપથી કહું છું. સાવધાન ચિત્તથી શ્રવણ કર. ભારતવર્ષમાં કોશલ દેશમાં વિશાલવિજયા નામનું એક નગર હતું તે નગરમાં રૂષભદત્ત નામને એક મોટો વેપારી હતા. તેને ગૃહલક્ષ્મી જેવી અનંત શ્રી નામની એક પ્રિય પત્નિ હતી. ધર્મ કર્મથી જેણે દ્રવ્ય સંપાદન કર્યું હતું તેવા તે દંપત્યને એક પુત્ર થયો. તે પવિત્ર ગુણોથી ભૂષિત હતો. તેનું નામ ધર્મદત્ત હતું. કર્મ ક્ષયથી ઉત્પન્ન થએલ શાંતિથી કિંવા ભાવિ ભવિતવ્યથી તે છેક નાનાપણથી વિષયસુખ પરાડ મુખ હસે છેક તરૂણ થયા ત્યારે સાંદર્યમાં સર્વ શ્રી શ્રેષ્ટ હતું. તેની પાસે દ્રવ્ય ઘણું હતું વણિક કન્યાએ ઘણા આદરથી તેના વિવાહ માટે પ્રાર્થના કરી, તે પણ તે જીતેન્દ્રિય અને પ્રશાંતાત્મા થઈ સામાન્ય જન અને સ્વજન સંબંધી નિર્મોહ થયો. તેણે માતાપિતાની પરવાનગી લેઈ ગુરૂ પાસેથી દીક્ષા લીધી-સંયમાદિ આચારને અભ્યાસ કર્યો, તપથી સર્વ શરીર શુષ્ક કરી નાંખ્યું. અને ગુરૂની અનુજ્ઞાથી એકત્વ પ્રતિમા ધર્મ આચરવા લાગ્યો. આ ગામમાં એક રાત્રિ, શહેરમાં પાંચ રાત્રિ એવી રીતે મુકામ કરતે કરતે ધર્મદત્ત એક મેટા જંગલમાં ગયા. ત્યાં તે ભયંકર પ્રાણી સાથે પ્રતિમા ધર્મથી વન રહેતું હતું. તેના શાંમ્ય પ્રભાવથી તે જંગલમાંના વાઘ, હાથી, મૃગ, ઈત્યાદિ સર્વ પ્રાણી પરસ્પરમાંને વૈરભાવ તજી તે મુનીની સેવા કરતા હતા. સર્વ પ્રાણ વર્ગમાં ભાતૃભાવ ઉત્પન્ન થયો હતો અને તેઓ ધર્મોપદેશ સાંભળતા હતા. નિંદ્ય આહાર વર્જ કરી જીવઘાત કોઈ દિવસ કરતા નહોતા. ત્યાંથી નજીકજ પલ્લીયમપુરી, નામનું એક પ્રસિદ્ધ ગામ હતું. તે ગામમાં વ્યાધ્રરાજ નામને એક કુર ઠાકોર હતો. તે સદા સર્વદા સિંહ, હાથી, વાઘ વગેરેને શિકાર કરવામાં મચી રહેલો હતો. એક વખતે તે સ્વસ્થળે બેઠે હતું ત્યારે તેણે સાંભળ્યું કે પલીગ્રામમાં એકાએક ઘણા માણસોમાં મોટી ગરબડ થઈ રહી છે. “આ ગરબડ શાની છે” એમ પુછતા, ગ્રામવાસીએ રાજાને કહ્યું કે “પલ્લી ગ્રામની આજુબાજુમાં એક મોટો ભયંકર સિંહ આવેલ છે.” સિંહની વાત સાંભળતાંજ રાજા હાથમાં ધનુષ્ય, બાણ, તલવાર લેઈ એકદમ સિંહને મારવા દે. તે પલ્લી પતિ ગ્રામની બહાર થોડે દુર ગયો ત્યાં એક મોટે ભયંકરે છેડે વક અને લાંબા પૂછડાવાળો સિંહ જોયો. સિંહને જોયા બરાબર પલીપતિએ તેના પર બાણ છોડ્યું; સિહે મેટે કુદકે મારી બાણ ચુકાવ્યું. આ પ્રકારે બનેની લડાઈ જોઈ મડામુની ધર્મદત્તને દયા આવી અને તે પિતાના દેહના ઉત્સર્ગ માટે તૈયાર થયે. વારંવાર ભેય તરફ જોઈ (પગથી કીડીઓ વગેરે ચગદાઈ હિંસા ન થાય માટે ) તે પ્રશાંતાત્મા મુની રાજા પાસે જઈ છેડે દૂર ઉભે રહી બેલ્યો “હે પલ્લીપતે વ્યાઘરાજ, તમે સિંહનો વધ કરે છે તે શા માટે? તેણે તમારે અપે . P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036440
Book TitleHari Vikram Charitra
Original Sutra AuthorN/A
AuthorBhagubhai F Karbhari
PublisherJain Patra Office
Publication Year1907
Total Pages221
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size247 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy