SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ - છીએ. હજુ અમારૂ કંઈ નષ્ટ થયું નથી, માટે હે ગુરૂ, સ્વધર્મદાનરૂપી નકારી અમારૂં તારણ કરે. - ગુરૂએ કહ્યું જીવ એ આદિ અને અંત વિરહિત છે. અનાદિ કાળથી સંસા રમાં પડેલો છે. સંસારમાં શું દુઃખ છે તે સર્વદા પ્રત્યક્ષ જુએ છે. પરંતુ દુઃખના કારણે પ્રત્યે તેને હજુ ઉદ્વેગ પ્રાપ્ત થતો નથી. જીવને દુઃખ આપનાર કમ છે અને કર્મનું મૂળ કારણ એટલે મિથ્યાપંચકષાય યોગ, અને અવિરતિ એ છે - આ પ્રકારે મિથ્થા પંચકષાયાદિકના વેગથી ઉત્પન્ન થયેલ કર્મના, આઠ પ્ર કારની જ્ઞાનવૃતીથી એક અઠ્ઠાવન ભેદ થયા છે. આ આઠ પ્રકારનું કર્મ સ્વભાવતઃ સુખી એવા દેહ ધારણ કરનાર, ચારગતીને ઊપયુક્ત ઘણું દુઃખો ઊત્પન્ન કરે છે. કર્મ એ દુઃખમય છે અને દુઃખનું સૂચક છે કિંવા દુઃખનું મૂળ કારણ છે. જીવ એ કમધિન સુખને લેશ પણ ભેગતા નથી. જે પ્રમાણે નીરોગી અંગ વ્યાધિ ગ્રસ્ત થાય એટલે દુઃખી થાય છે તે પ્રમાણે પ્રાણીના પાપ પરિણામથી કર્મ વૃદ્ધિ થાય છે. દેહિજનામાં રહેનાર આ કર્મરૂપી શત્રુ મેટો અપકારી છે તેની ઉપેક્ષા કરીએ તો રોગ પ્રમાણે આપણે નાશ કરે છે. જે પ્રમાણે દુઃખાતુર રોગી વેદનાતુર થાય એટલે ત્રાસ પામી રંગ હર વિદ્યને બળે છે, અને વૈદ્યના કહેવા પ્રમાણે કિયા કરી, અપચ્ચે છોડી, પચ્યભજન કરે છે, અને વ્યાધિ દુઃખથી મુક્ત થાય છે. રાગ પીડાથી મુક્ત થઈ, આરોગ્ય પામી વૈદ્યની ચિકિત્સાની સ્તુતિ કરે છે અને તેને બહુ માન આપે છે તે જ પ્રમાણે માણસ કર્મ રેગથી ગ્રસ્ત થઈ, જન્મ, મૃત્યુ ઈત્યાદિથી દુઃખી થઈ, સંસારવૃતીથી નિવૃત થઈ ઊત્તમ ગુરૂની શેધ કરે છે. ગુરૂ મળ્યા પછી તેના કહેવા પ્રમાણે વર્તી પ્રમાદ રહિત અને શુધ્ધ પ્રવજ્યને પ્રાપ્ત કરે છે. અને પછી નાના વિધ તપશ્ચયથી શુદ્ધ થએલ ભીક્ષાન્ન ભોજન કરી બંધ અને વ્યામેહ રહિત થઈ સર્વત્ર અપ્રતિરૂદ્ધ થઈ ગુરૂપદિષ્ટ સાધુ કિયાનું આચરણ કરી, ચિરાજીત કરેગથી નિઃસંદેહ મુક્ત થાય છે. માટે હું કહું છું કે ગુરૂ સમાગમ બહુ દુર્લભ છે ગુરૂ સાહ્યવગર કર્મરૂપી વ્યાધિન ફાય થતો નથી.” - - - આ પ્રમાણે ગુરૂએ બંધ કર્યા પછી ચંદ્રશ્રીએ કહયું કે, ભગવન, પ્રવજયા માટે મારી યોગ્યતા હોય તે, મને સત્વર દીક્ષા આપે. - પછી ગુરૂએ ચંદ્રશ્રી સહિત, સર્વ કુલ પત્યાદિ તપસ્વીને તેમના પરિવાર . સહ દીક્ષા આપી. વિકમ અને અમરના સૈન્યમાંથી પણ ઘણું લોકે ગુરૂ માહાત્મા સમજી ગુરૂસંનિધ દીક્ષા લીધી. એક દિવસે ભુવનસુંદરીએ એગ્ય વખત જોઈ, કેવળજ્ઞાનીને પુછયું કે “હે પ્રભે, મારે એક સંદેહ દૂર કરો. અહે મહારાજ, મલયમેઘ યક્ષ અમારા બન્ને પર પિતા જેવો નેહ દર્શાવે છે, અને મારા પર તે જન્મથી તે સનેહ રાખે છે તેનું કારણ શું? આ સ્નેહ સ્વભાવતઃ છે, કિંવા પૂર્વ જન્મથીજ ચાલતો આવેલો છે? હે માહારાજ મને તે સર્વ કૃપા કરી કહે. તે જાણવા મને મેટી ઉત્કંઠા છે. : P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036440
Book TitleHari Vikram Charitra
Original Sutra AuthorN/A
AuthorBhagubhai F Karbhari
PublisherJain Patra Office
Publication Year1907
Total Pages221
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size247 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy