SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ તે હરિવિકમને તું શું નથી ઓળખતે? તને જે વસ્તુત્વની ખબરજ નથી, તે પછી તે જે કહ્યું તેમાં દેષ શાને? તે જે અનીતિને ભુષણરૂપ ભાષણ કર્યું તે કેવળ મુખેતાજ છે! * જે પિત થઈ પિતાના મનમાં ગર્વ ધારણ કરે છે તે ઉપહાસને પામે છે અને પિતાને સંશયમાં નાંખે છે. અરે રાજા હવે બોલવું બંધ કર. જે હરિવિકમની તને ખબર નથી તે જ તને જે પિતાની સેવા કરવાનું કહે છે, તેનું દર્શન કરાવશે. હે રાજા, તું સેવા એટલે શું, તે જાણવા બહુ ઉત્સુક થઈશ નહીં. હરિવિકમ તને ન્યાયથી આજજ સેવાનું રૂપ પ્રગટ કરી બતાવશે. જે વાત આપણાથી સિદ્ધ થવાની નથી તે વાત શી રીતે બોલાય? અસત્યાર્થવાદી લોક (બેલેલી વાત સિદ્ધ ન થાય તે લઘુત્વ પામે છે. હેમહાબલ, કેટલાક દિવસ પછી તું હાથ જોડીને રાજાની સેવામાં તત્પર થઈશ એવું મારે જેવું પડશે. યક્ષનું ભાષણ સાંભળી રાજાને ક્રોધ ચઢયે તેનું શરીર થરથર કંપવા લાગ્યું. તે વખતે તેના હાથમાં એક તલવાર હતી. તે તલવાર મહાબલે પોતાના હાથમાં લીધી, એટલામાં હરિવિકમ ત્યાં આવ્યો. હરિવિક્રમના આવતાની સાથેજ, તેજથી રાજાના શરિરની કાન્તિ મલીન થઈ અને પ્રતાપશુન્ય થઈ કાળે દેખાવા લાગ્યા. * તેણે એવો વિચાર કર્યો હતો કે, દેવોએ પ્રયત્નથી રક્ષણ કરેલા આ બિકટ કિલામાં બાર જન સુધી પણ દુષ્ટ બુદ્ધિ દાખલ થઈ શકતી નથી. આકાશ અને પૃથ્વિ પરના દેવ, કિવા મત્યે ઈત્યાદિકને પ્રવેશ થવો પણ મુશ્કેલ એવા આ મજબૂત કિલ્લામાં કેણુ પેશી શકે? આ પ્રમાણે તે વિચાર કરતું હતું તે વખતે હરિવિકમે તેનું ઘણું અપમાન કર્યું અને “તારું નામ મહાબલ છે, તે હવે તારૂં બળ અમને બતાવ” એમ કહયું. હરિવિક્રમના બોલવાથી તે મહાબલ રાજા મુગ્ધ થઈ, થરથર કંપવા લાગ્યા અને ધ્રુજતા ધ્રુજતા, તેના હાથમાંની તલવાર નીચે પડી. - આ જોઈ કુમાર મિતાસ્યથી બોલ્યા કે “તારૂં બળ જોયું. હવે તું ભય રાખીશ નહીં. તારા જેવા ભયભિત થએલાને હું મારીશ નહીં. હું તને સહેજ કતકથી પુછું છું કે, તારે વ્યંતર કર્યો છે? મને લાગે છે કે, જેવું તારૂં બળ છે, તેવું જ તેનું બળ હશે.” મહાબલ બોલ્યા તારું પરકમ ભૂતળપર સિંહના જેવું પ્રસિદ્ધ છે. તું જે કહે છે તે ખરૂં છે. મારું નામ બીજે ઠેકાણે ગમે તેવું હોય પણ તારી સાથે તે યથાર્થ નથી. હું મહાબળ છું ખરો, પણ તારી સાથે તુલના કરતાં મારું નામ યથાર્થ નથી. અન્ય શત્રુ સાથે પરાભવ દૂષણ રૂપ છે. પણ તે તારી સાથે પરાભવ ભૂષણ રૂપજ છે. ' હે હરિવિક્રમ, હું બીજાઓને અછત છતાં, તારા સંબંધમાં તે જીતાએ છું. એટલાજથી હું પિતાને કૃતાર્થ સમજું છું. હે કુમાર હું તારો ચાકર થયો. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036440
Book TitleHari Vikram Charitra
Original Sutra AuthorN/A
AuthorBhagubhai F Karbhari
PublisherJain Patra Office
Publication Year1907
Total Pages221
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size247 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy