SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ પર સેકડો કુમાર હતા, પરંતુ આ કુમારીકાના મનનું હરણ કરનાર કેઈ નહેાતે તીર્થને નમન કરવાની ઈચ્છાથી હું ફરતે ફરતે અયોધ્યા શહેરમાં ગયે. ત્યારે શકવતાર તીર્થમાં રાત્રે મેં તને જે. તું કઈ દેવકુમાર હઈશ એમ પ્રથમ મેં ધાર્યું પરંતુ તારી આંખોના નિમેષને પાદિકથી મેં તારા માટે નિશ્ચય કર્યો. જીનેશ્વરનું સ્તવન, તેને નમસ્કાર દેવનો પરાભવ, આસન, હારદાન, કિંવા અપાર તેજ સંપાદન કર્યું તેઓને તારી પરીક્ષા જેવાના હેતુથી ખંડકપાલ સાથે સંગ્રામ થયો તે સુદ્ધાં સર્વ કંઈ જોયું. પછી મેં ક્ષેત્ર પતિનું ભયંકર રૂપ ધારણ કર્યું તે જોઈ યમને પણ ભય પ્રાપ્ત થાય તે મનુષ્યની શી વિસાત ! પરંતુ તે જે મુષ્ટિપ્રહાર કર્યો તેથી મારા શરીરને બહુ વ્યથા થઈ અને મને શુદ્ધિમાં આવવા બહુ વાર લાગી. હે હરીવિકમ તારું પરકમ બહુ શ્રેષ્ઠ છે. હું જે દેવનો ગર્વ હરણ કરનાર, પણ તારા આગળ શસ્ત્ર લેઈ લઢવા મારામાં ગ્યતા આવી નહીં, તે મારે પગ ઝાલી મને એ તે ફેરવ્યું કે, હજુ મને સર્વ વિશ્વગરગર ફરે છે કે શું એ ભાસ થાય છે.” '. આ પ્રમાણે મેં સર્વ હકીક્ત આ ભૂવન સુંદરીને કહી છે તેના યોગે તારાપર તેનો અનુરાગ ઊત્પન્ન થયે છે. બ્રહ્મદેવે અભ્યાસ કરી મેટા કષ્ટથી જે નિર્માણ કર્યું એવું તારું રૂપ કપડા પર બરાબર શી રીતે લખી શકાય? સ્વર્ગમાં પણ અપૂર્વ એવું તારું રૂપે એકજ વાર યાથી ચિત્તમાં શી રીતે રહે અને ચીતમાં જે રહી શકતું નથી તે લખાય પણ શી રીતે ? તથાપિ પિતાના સામર્થ્ય પ્રમાણે યથા શક્તિ આકાર માત્ર, તે તારૂ રૂપ ચિત્રપટપર લખી, વિસ્મિત રાજપુત્રીને મેં સમર્પણ કર્યું તે રૂપ જોઈ તેના એ નેત્ર વિસ્મયથી પ્રફુલ્લિત થયા. તેનું ચિત્ત વિષયથી પરાવૃત્ત થયું. અને તેની બુદ્ધિને વિકાર થયે. ગમે તે કામ કરવાનું સ્વપ્નમાં, વાતોમાં, મનેરથમાં, ભાષણમાં ધ્યાન માર્ગમાં, વધારે શું પણ સર્વત્ર તેને તું દેખાય છે. તે હમેશાં મનમાં કહે છે કે “હરિવિક્રમના રૂપથી પરાભૂત થએલ કામદેવ, તારામાં મારૂ ચિત્ત ચેટયાથી મસરથી મારો જીવ લે છે” કેકિલા મધુર અવાજની તે, સર્વદા તારૂં સ્મરણ કરે છે. સંકલિપત પ્રિયની આશાથી તેનું મન અત્યંત પ્રફુલ્લિત થઈ, શ્વાસોશ્વાસ નાંખી. પ્રિય મળશે માટે આગળ જુએ છે, પણ પ્રિય કર્યો છે? ચક્રવાકીના વિરહથી ચકવાક પક્ષી જેમ અર્થ કાઢે છે તેમ તે નેહભાવથી . અશુપૂરિત દ્રષ્ટિપાત કરે છે. તે ચિત્રમાં સર્વાગ સુંદર ચિત્ર જોઈ “તારે પગે પડું છું” એમ લખે છે. દુર્લભ એવા તારા દર્શનની આશાથી પ્રેરીત થઈ દેવ અને દાનવની માનતા માની બાધા રાખે છે. અત્યંત ઈષ્ટ એવું જે તારું દર્શન જેમ જેમ તેને પ્રાપ્ત થતું નથી તેમ તેમ તેના મનમાં તારે માટે દુઃખ થાય છે તારી સાથે તેને વિવાહ થયો નથી તેપણ, જલ વિના જેમ માછલી ટળવળે છે તેમ તેને તારે એગ ન આવવાથી કમળના પાનની સુંદર શય્યા પણ, તપી ગએલા - વેલા જેવી લાગે છે તારા દર્શન માટે તેનું ચિત્ત એટલું તે અસ્વસ્થ થયું છે કે તારું દર્શન ન થાય તે તે મૃત્યુ પસંદ કરશે. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036440
Book TitleHari Vikram Charitra
Original Sutra AuthorN/A
AuthorBhagubhai F Karbhari
PublisherJain Patra Office
Publication Year1907
Total Pages221
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size247 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy