SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ આવશે. અને બીજા પણ સારાં કાર્યો તારા હસ્તે થશે. ત્યાં તારી પુત્રિની પણ ત્યાં શ્રીચંદ્ર પ્રથે દેવનું ભવન, મેં, મણી, સ્ફટિક, રત્ન ઈત્યાદીથી મઢીને કરેલું છે અને તે સર્વત્ર વનથી વેષ્ટિત થએલું છે, ત્યાં તમે બને જીન દેવની પૂજામાં નિમગ્ન રહી, સુખ પ્રાપ્ત કરજે.” ચંદ્રશ્રીએ મુની વીરસેનના દર્શનની ઉત્કંઠાથી મારું કહેવું માન્ય કર્યું. પછી યક્ષ અને યક્ષિીની રજા લઈ શુભ દિવસ જોઈ તે પિતાની કન્યા સાથે તપોવનમાં ગઈ. જીન મંદિર જોયું. મંદિરની નજીક એક બાગ હતો. ત્યાં પ્રકુલ્લિત કમલયુક્ત એક વાવ હતી. તે તેણે જોઈ. પછી અમે બધા ત્યાં ગયા. સર્વ એ જીનદેવની . પૂજા કરી અને જૂદા જૂદા સ્તોત્ર ગાઈ પ્રાર્થના કરી. પછી હું તપવનમાં ગયે અને ઘણું પ્રેમથી ચંદ્રશ્રાને વ) નામની કુલપતિને સ્વાધિન કરી. કુલાચાર્યું : ચંદ્રશ્રીને અંગીકાર કરી તેને કહ્યું કે “હે તપોરતે, મારી પાસે તું ખુશીથી ધર્મ, કર્મ કરીને રહે. ત્યાં તે સ્થાવર અને જંગમ પ્રાણનું રક્ષણ કરી, ધ્યાન અને. અધ્યયનમાં નિમગ્ન થઈ એક ઝુંપડીમાં રહી. અહીં તે જીનેશ્વરના દેવળમાં આવી દેવને ત્રિકાળ વંદન કરે છે. મુનીના સ્નાન પછી રહેલું પાણી પીએ છે. તપસ્વી એ પોતાના માટે કરેલો ભાત (શેષ રહે તે) અને કેળાં વગેરે પદાર્થ ખાય છે. ( હે કુમાર, ચંદ્રશ્રીએ ભાવ સાધુત્વને આશ્રય કર્યો છે. તે ગુરૂના સમાગમમાં રહી તપશ્ચર્યા કરે છે. ચંદ્રશ્રીની પુત્રિ ભુવન સુંદરી રોજ ચંદ્રપ્રભજનેશ્વરની પૂજા કરે છે. સાક્ષાત લક્ષ્મી જેવી તે પુત્રી ભુવન સુંદરી મારા ઘરમાં રહી, મારા મુખથી પણ ધર્મશાસ્ત્ર સાંભળે છે. હે, કુમાર, તેને અનુરૂપ વર શોધવા હું આ મહીતળપર સર્વત્ર ભ્રમણ કરું છું. તે જેમ જેમ મોટી થાય છે તેમ તેમ ત્રણ વસ્તુ ક્ષીણ થાય છે. એક તો મારું મન, બીજું તેની કમ્મર અને ત્રીજું તેની સાથે લગ્ન કરનાર તરૂણજન. પુત્રિના પિતાને, પિતાને કંઈપણ ઇચ્છા નહોતી. કેવળ પુત્રિ માટે વર શોધવા ઘેર ઘેર યાચના કરવી પડે છે. આપણે એક અપરાધ વિનાને દંડજ કહેવાય છે. ( પુત્રિને બાપ ગમે તેટલા માટે હોય, તો પણ તેણે જેને કન્યા આપી છે, તે હલકે હોય પણ માથું નીચુ ઘાલી તેના દુભષણ સહુન કરવાં પડે છે. છેકરી સગુણ હોય, સુજાતિ હય, જ્ઞાન વિજ્ઞાન વતી હોય, તેતે માળાના મણકા પ્રમાણે બીજાની મતા છે. - . : જે પ્રમાણે લતા બીજાને ફળ આપે છે, તે પ્રમાણે કરીને પાળીપોષી મોટી કરવી તે બીજાને માટે જ વધારે શું કહ, તાત્પર્ય એટલું જ કે તેને દુઃખની કઈ દિવસ ખબર પણ નહોય તો પણ તે અશેષ દુઃખનું સ્થાનતો ખરાજ. ' . સર્વત્ર ભુવન તળપર ફરતાં ફરતાં મેં અનેક રાજપુત્ર જોયા અને પછી સર્વ રાજાનું કુળ, ગુણ, ઈત્યાદિ એક કપડા પર લખી તે તેને બતાવ્યું. આ સર્વ ભૂવન P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036440
Book TitleHari Vikram Charitra
Original Sutra AuthorN/A
AuthorBhagubhai F Karbhari
PublisherJain Patra Office
Publication Year1907
Total Pages221
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size247 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy