SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ હવે આ ભારે વિચારનું કામ આવી પડયું. એટલે રાજાએ મહોદધિ સચિવ તરફ નજર કરી કારણ કે કંઈ રાજ્ય કારસ્થાનની ખટપટ ઉત્પન્ન થાય એટલે તે બાબતનું વિવેચન કરવા મંત્રીની બુદ્ધિ સમર્થ હોય છે. રાજાની અને મહેદધિની નજર એકત્ર થતાંજ, તે ઘણી નમ્રતા પૂર્વક બે “મહારાજ, આ કામ ઘણું અગત્યનું છે. અને આ સંબંધી મંત્રિસિંહે જે કહ્યું તે સર્વ યોગ્ય છે. પરાક્રમ સાધ્ય કરવા મંત્રીની સલાડ ઉપયોગી થાય છે પરંતુ જ્યારે તે પરાક્રમ કામાંધીન થાય છે ત્યારે ટમેટાની બુદ્ધિ પણ ચાલી શક્તી નથી. જે મનુષ્યની શકતી ઉપરાંતનાં કામે કરવા પ્રવૃત્ત થાય છે તે નકી અપકીર્તિ પામી મૃત્યુ મેળવે છે. પિતાની શકતીને વિચાર ન કરતાં લઢાઈ ઊત્પન્ન કરે છે તે મેઘના સપાટાથી જેમ તીડેને નાશ થાય છે, તેમ પિતાનો નાશ કરે છે. માટે જ્યાં સુધી તે અસુર આપણા સિન્યને ત્રાસ આપતો બંધ પડે નહીં, ત્યાં સુધી આપણું સિન્ય ત્યાં જ રહેવા દેવું. અને વીરસેનને પણ તેની જ ત્યાં લઈ જવા ફરમાવવું જોઈએ.” રાજાએ કહ્યું આ તમારૂં બોલવું સત્ય છે મારા મનમાં પણ તેમજ છે. આ વખતે કુમારે શાંત અને ગંભીર વાણીથી મહારાજ અને મુખ્ય પ્રધાનને મેટા ઉલ્લાસથી કહ્યું, “માહારાજ મોટા આગળ છોકરાંએ બોલવું. ના જોઈએ તે પણ હિંમત ધરી હું બે શબ્દ બોલવાની રજા માગુ છું. હે પ્રીય તાત, હું જે અપ્રિય અને કટુ વચન બોલું તે પણ આ૫ ક્ષમા નજરે કૃપાવંત થઈ કે ધાયમાન થશે નહિ કારણ વિચાર કરી કોઈ પણ કામ કરીએ તે તે સહેલું થાય છે. મૃખે પણ જ્યારે જગલમાં જાય છે ત્યારે રસ્તામાં સાપ, કાંટા વગેરે કંઈ નથી એવી : બરાબર ચેકશી કરીને પછી તે ઉત્તમ માર્ગે જવા પ્રવૃત્ત થાય છે. હે મહારાજ આપની બુદ્ધિ બહુસ્મતીથી વધારે છે, ઉપસ્થિત કાર્યોમાં તમે ગુણદોષને વિચાર નથી કરતા કે ? હે રાજા, રાજા લોકો વૈભવ મેળવવા સાધનભૂત એવા સંધિ, સંગ્રામ, આદિ કરીને નીતિશાસ્ત્રકારોએ મુખ્ય છ ઉપાય કહ્યા છે માહારાજ, જેની સાથે સંધિ કરવી ગ્ય હોય તેની સાથે કઈ દિવસ વિગ્રડ કરે નહીં, કારણ કે જે કોઈ સુતેલા સિંહને ચડાવીને જગાડે છે તે તેને નાશ જ થાય છે. વિરોધ કરનારે બને ત્યાં સુધી બળવાનની સાથે યુદ્ધ કરવું નહીં એટલે અનર્થ થવાને ખચિત પ્રસંગ આવે તો પણ તેને જીવ બચે છે; બળવાન અને સલાહ માન્ય કરનાર રાજાનું ગમે તેવું કામ હોય તો પણ તે સિદ્ધ થાય છે કારણ કે જે મસલતી અને સાહસીક છે તેની દેવપણ ચાકરી કરે છે. હાલ શત્રુનો ઉપદ્રવ બહુ છે માટે સ્વમંડળનું રક્ષણ થવું પણ મુશ્કેલ છે માટે આવા પ્રસંગે બીજાને જીતવાની આશા રાખવી એ પણ વ્યર્થ છે. - 0 શત્રુની જે ઉપેક્ષા કરે છે તેનું અપમાન કેમ થવું ન જોઈએ? શાંતિ એ યતીનું ભૂષણ છે પણ વિજય પ્રાપ્ત કરી લેવા ઈચ્છનારનું ભૂષણ નથી. જ આ જગતમાં જે પિતાને કોપ અને ગ્યતા પ્રમાણે કૃતિ કરતો નથી તે બુદ્ધિ , હીન અને સાહસિડીન મનુષ્ય ખાડામાં પડી નાશ પામે છે. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036440
Book TitleHari Vikram Charitra
Original Sutra AuthorN/A
AuthorBhagubhai F Karbhari
PublisherJain Patra Office
Publication Year1907
Total Pages221
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size247 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy