SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ અને રાણે બંનેએ ગુરૂને પ્રદક્ષણા પૂર્વક નમસ્કાર કર્યો. તરતજ : શરીરપર પિ શાખ ઉતારી તે વધુ વરે હર્ષથી પતે પાંચ મુઠીઓ વડે કેશ લુચન કર્યું, પછી રાજા અને રાણીએ બનેને કમવાર અનિચિ આપી ગુરૂએ તેમને સિદ્ધાંત વિધીથી સારી દિક્ષા આપી. તે બંનેને સાથે સામંત, મંત્રિ, નગરલેકે, અને દેશમાંના લેક, એ પ્રમાણે બીજા કેટલાએકે પણ પ્રવ્રજયા લીધી. ગુરૂએ સાધ્વી ભુવનસુંદરીને, ચંદ્રશ્રીને સ્વાધિન કરી. અને બાકીના મુનિને પિતાની પાસે રાખી લીધા. સંયમયુકત આચાર બાબતને અભ્યાસ થયા પછી કૃતાર્થ એવા હરિવિકમને યોગ્ય થએલ જાણું ગુરૂએ આચાર્યની જગાએ સ્થાપન કર્યો. એકાદશાંગ સૂત્રાર્થ ધારણ કરનાર સાધ્વી ભુવનસુંદરિએ પણ સંન્યાશિણી ના સમૂહમાં પ્રવર્તિની થઈ રહી. - આણું તરફ વીરસેનસૂરિ, જગતુને ઉપદેશ કરતે કરતે સિદ્ધાલયથી ભૂષિત એવા શત્રુંજય ગિરી પર આવી પહોંચે. ત્યાં તે સુરિરાજ સંસાર પ્રવર્તક કૃત્યને ત્યાગ કરી, સંસારી જનને ઉપકારક એવા કૃત્ય કરીને, સુરસેનાદિ મુનીસહ નિર્વાણ પદને પામ્યા. હરિવિકમસૂરિ ભૂતલપર ફરતો ફરતે પરિવારસહ મલયાચલ ભૂમીપર ગયો. ચંદ્રશ્રી, વિજયવતી, ભુવનસુંદરી, અને બીજી પણ મહાસાધ્વીએ ત્યાં નિવણ પદને પામી પછી ત્યાં મલયમેઘ યક્ષ પરિવાર સહ આવી મોટી ભતીથી કમ રહિત થએલ તે સાધ્વીનો મહિમા ગાતે હતો. . ' પછી હરિવિકમ સૂરિ, નિર્જન એવી પહાડની ગુફામાં સુખાસન પર બેસી ધ્યાન કરવા લાગ્યું. તેનાવડે કરી અનેક શાસ્ત્રોના વિચારથી ઘણી વખત સૂધી થાકેલું પિતાનું મન, એક પદાર્થને ઠેકાણે નિશ્ચળ કરી તે શુકલધ્યાનની અંદર નિમગ્ન - થયે, એટલે તરત તેના ઘાતક કર્મોને ક્ષય થઈ તેને કેવલ સંજ્ઞક જ્ઞાન ઉત્પન્ન થયું. આકાશની અંદર દેવવા વાગવા લાગ્યા, અને કેવલ જ્ઞાની એવા તે હરિ- વિક્રમ સંજ્ઞક સૂરિને મહિમા વધારવા સારૂં સુરાસુર એકત્ર મળ્યા, એ સર્વજ્ઞ, સર્વ, દૃષ્ટા, હરિવિક્રમ સુવર્ણ કમળપર બેશી, શ્રોતાઓના કર્ણપટને સાદર શ્રવણ કરવા યોગ્ય એ ધર્મોપદેશ કરવા લાગ્યા. - પછી ભૂમિ પર ફરી, સર્વ લોકોને ઉપદેશ કરી નિર્વાણ સમય જાણી વિમલાચલપર ગયો. પછી પિતાના જ્ઞાનથી પિતાના આ પુષ્પના કર્મો કરતાં વધારે કર્મ સંચય થએલે જાણું આ પુષ્પની સાધે સરખા કરવા સારૂં પ્રયત્ન કર્યો. પછી સર્વ કર્મોને નાશ કરી * શુદ્ધ ચિદાનંદ રૂપ તે મહાત્મા શ્રી હરિવિકમ મુનીશ્વર વેગથી મહાઉન્નત પદને પામ્યા. આ પહેલા જન્મમાં પાળેલું આચરણ જેમ હરિવિકમ અને વીરસેનને વિશેષ ફળ આપનાર થયું તે પ્રમાણે સર્વ લેકને પણ થયું. આ મેં કહેલ ચરિત્ર રત્નનું ઉપાખ્યાન શ્રવણ કરી સજજને બંને પ્રકારના ચરિત્ર વિશે આદર કરે. મુનિરાજ સમૂહ તફથી હમેશ વર્ણવામાં આવતું શ્રદ્ધાવાન જનના કર્ણપટને અમૃત તુલ્ય થનાર એવું આ અદ્દભુત પુજ્ય ચરિત્ર વાંચક વર્ગને આનંદદાયક થાઓ. આ ચરિત્ર જેણે સુવર્ણાત્મક બનાવી પિતાનું નામ યથાર્થ કર્યું, તે અમરકીતિ નામના ગણિ શ્રેષ્ટને જયજયકાર થાઓ. જેણે વિશેષે કરી આ સર્વ ચરિત્રનું સારી રીતે શેધન કરી લક્ષણ યુક્ત કર્યું, તેવા લક્ષણ શાસ્ત્ર વેત્તા જીતેંદ્ર પ્રકૃતિ ધન્ય પુરૂ આનંદને પામે, તિ રામૂ શિવમસ્તુ સર્વ વાત છે * . . . સમાપ્ત . ' ' . ' .. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036440
Book TitleHari Vikram Charitra
Original Sutra AuthorN/A
AuthorBhagubhai F Karbhari
PublisherJain Patra Office
Publication Year1907
Total Pages221
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size247 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy