SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ 204 અધ્યા નગરી જણાવા લાગી ત્રિલોકમાંના સુંદર પદાર્થો ભેગા કરી બનાવેલી એવી તે નગરી જોતા હતા, તે તેમની નજરે ઘણા લોકો બાહ્ય ઉપવન જતાં નજરે પડયા. બંધુદત્ત–આ લેક કયાં જાય છે ? અને નોકર ચાકરે આજુબાજુ દેખાય છે એવી આ રાજપત્ની સરખી સ્ત્રી કોણ હશે? તે સ્ત્રી દીલગીર થયા જેવી દેખાય છે, તે ઘણું કરી એના મનને ઘણું દુઃખ થએલું હોવું જોઈએ જે તેના દુઃખથી તેણીના સર્વ અવયવ ક્ષીણ થઈ દુર્બળ થઈ ગઈ છે. તેના શરીર પરથીજ જાણે અપવાસનું વ્રત ધારણ કર્યું હોય એમ જણાય છે. ભાર થાય નહિ માટે દાગિના પહેર્યા નથી તે પણ હાથમાં કંકણો દેખાય છે, અને કાજળ કુંકુમથી તે પિતાનું અવૈધવ્ય વ્યક્ત કરી આપે છે હે દેવ જ્યાં તે જાય છે તે તરફ આપણે પણ જઈશું. એમ બેલી તેઓ ઉપવનના એક વૃક્ષ પાસે આવી પહોંચ્યા. વીરસેન મિત્રસહ વિમાનમાંથી નીચે ઉતર્યો, અને તે બાંધેલા પુરૂષસહ તે વિમાન આકાશમાંથી ઉતારી ત્યાં જ રહેવા દીધું. પછી રાજા મિત્રસહ આગળ ગયા. ત્યાં તેણે કેવળ સ્વરૂપ દમન નામને સુરિ (મુનિ) જે. તે સુરીને વંદન કર્યા પછી પિતાના કપાળથી પૃથ્વીને સ્પર્શ કરી તે બંને શુદ્ધ ભુમિપર બેઠા પેલી રાજ પત્ની પણ તે સભામાં આવી અને યથાવિધી સુરીને વંદન કરી પરિવારસહ નીચે બેઠી તે સુરી સંસારને સદભાવ (સારા હોવાની ભાવના)નીરસ હોવાનું વ્યક્ત કરી સભાસદોને જીત ધર્મ કહેવા લાગ્યો રાણીએ વાત કાઢતી વખતે મનમાં દીન થઈ ગુરૂને વિનંતિ કરી મહારાજ રાજાને પ્રવાસમાં ગયાને સોળ દિવસ થયા તે હે પ્રભુ આર્ય પુત્ર પૃથ્વીપર જીવતો છે કે નહી ? ઘણા દુઃખોથી હેરાન થએલ મારે જીવ ફક્ત તમારા વાકપર રહેલો છે. પૂર્વે સ્વબંધુને વિયેગા થયે પતિની બીજી પ્રતિમા એ જે પુત્ર તેને પણ વિયોગ થયો અને હવે જે પ્રાણપતિનો થશે તે માત્ર દુઃખના બેજાથી ભરેલું જે આ શરિર તે ધારણ કરવાને હું સમર્થ નથી હે કૃપાળુ દેવ હવે તે હું મરણની ઈચ્છા રાખું છું. એટલામાં ત્યાં સભાની અંદર કેઈએ છીંક ખાધી, ત્યારે ગુરૂ બેલ્યા હે રાણું મનમાં ખેદ રાખીશ નહીં, આ સંસાર દુઃખ રૂપજ છે, આમાં સુખ લેશ માત્ર પણ નથી વિષકૃમી પ્રમાણે જેને સંસારમાં સુખ લાગે છે પણ તે કેવળ કટિપત છે. 1. જેમ લોકોમાં એકાદ સ્ત્રી વિષે બીંબાણી, કુંદદશના, ચંદ્રવદના, ઈત્યાદી ક૫નાઓ બેટી છે તેમ સંસારમાં સુખની કટપના બેટી છે એ વાત રહેવાદે પણ આ બીજી વાત પ્રત્યક્ષ જે હર! હર! દુઃખની વાત પુત્રે વેરી સમજી બાપને બાંધી મુકે છે. પછી ગુરૂએ વીરસેનને કહ્યું રાજન મહારાજને વેરી સમજી તે પિતે બાંધી મુકયા છે, તેમને જલદી લેઈ આવ. . આ વાકયે સાંભળી તે સુરપુત્ર ગાંડા જેવો થઈ ગયે, અને તરત ઉઠી સાશંક થઈ વિમાનમાંથી તે નરેંદ્રને સભામાં પસને જોઈ રાણું વગેરે સવે લોકને P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036440
Book TitleHari Vikram Charitra
Original Sutra AuthorN/A
AuthorBhagubhai F Karbhari
PublisherJain Patra Office
Publication Year1907
Total Pages221
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size247 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy