SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ 17 હક એકા એક ત્યાં આવ્યા, અને નમસ્કાર કરી નીચે બેઠે ત્યારે રાજાએ તેને પૂછયું. રાજા–અરે વાયુમિત્ર, મારા પુત્રની કુશળતા કહે, તું હમણા અતિશય ગભરાએલ અને ચિંતાતુર કેમ દેખાય છે? વાયુમિત્ર-પુત્ર કુશળ છે ફક્ત ગાડ ભૂપતિએ સારૂ કર્યું નહિ હે ભૂપતિ, પોતાના દેશના સરહદ ઉપર સૈન્ય મૂકી, અને સાથે ચેંડું સન્મ લઈ કુમાર રાજગૃહ પુરમાં પહેઓ ઈદ્રદત્ત કુમારના સંબંધમાં, જે કરવાનું યોગ્ય હતું તે સર્વ ગડ રાજાએ વિધિ પ્રમાણે કર્યું. પછી હે રાજા, મહેંદ્રલક્ષ્મી અને શ્રીઈદ્રદત્ત એમને વિવાહ - સુમુહર્ત પર ગાડરાજાએ મોટા ઠાઠમાઠથી કર્યો. વિવાહ કૃત્ય આપ્યા પછી, પ્રધાને તે ગડરાજાને એકાંતમાં વિનંતિ કરી કે, “સ્વામિન આ બાહુ બળવાળા, સ્વારી કરનાર અને પ્રતાપી ઈદ્રદત્ત આપણને એક મોટો શત્રુ થયો છે, અને એકજ હદમાંના શત્રુના સંબંધમાં આંખ આડા કાન કરવા સારા નહિ, આ અહિં છે ત્યાં સૂધી તમને સુસાધ્ય છે, બીજે ઠેકાણે આ તમારાથી સચવાશે નહિ, એમ સમજી હે મહારાજ, જે યોગ્ય દેખાય તે પ્રમાણે કર આ એક બાહુ બળશાળી, પછી તમને ઝપાટાથી ઉપાડી એક છત્રી પૃથ્વી અવશ્ય ભોગવશે.” - રાજા–કુલીનને આ પ્રમાણે કરવું યોગ્ય નથી. કેઈ પણ શત્રુ આપણે ત્યાં આવ્યું એટલે અવધ્ય છે. તે અને તે દુત મેકલી જમાઈ કરી બેલાવી લાવ્યા છીએ તેને આપણા પર વિશ્વાસ છે; એ સજજન હેઈ, તેની અંદર કઈ પણ દેષ જણાયે નથી, અને ગુણોથી પણ શ્રેષ્ઠ છે હે મંત્રિ, જે તેના મનમાં પ્રેશ જણાઈ. આવતા નથી, તે તે ઉપકાર કરવાને યોગ્ય છતાં, તેના પર એકદમ અપકાર શી રીતે કરવો? - સુમતિ મંત્રી–રાજા મારૂં બોલવું સાંભળ રાજ્ય કહ્યું એટલે તેનું પાલન કરવું, કુબુદ્ધિ પુરૂષને હમેશા કડણજ છે.. . . વેશ્યાના યાવન પ્રમાણે રાજ્ય પર સર્વણ આંખ (ઈચ્છા) અને સર્પ યુક્ત મંદિર પ્રમાણે આ સર્વ પ્રકારે સભય છે, સ્વભાર્યા પ્રમાણે આનું હમેશા પ્રયત્નથી રક્ષણ કરવું જોઈએ, વેશ્યાની સંગતી પ્રમાણે આને વિશ્વાસ કરવો યોગ્ય નથી. પરંતુ આપણે હોય તેની સાથે પણ દુર્જનત્વનું આચરણ કરવું, સર્પે ડંશ કરેલો અવયવ જે કે આપણે હોય, તે પણ તેને કાપી નાખવાથી મનુષ્ય ચિરાયુ થાય છે તે રાજા પ્રથમ તે ઘણું સારું પણ પરિણામે બહુ ભયંકર એવું આ શત્રુકૂળ એને નાશ કરવો જ જોઈએ. આ પ્રમાણેના ભાષણથી રાજાનું મન ચલિત થયું, અને કુમારના સારૂ અનેક ઉપાયોની રોજના કરવા લાગે. ત્યાં મદના નામની એક દાસી મહેંદ્રશ્રીની સખી છે, તેના પર સુમતિ આશક હોવાને લીધે તે તેણીની પાસે એકાંતમાં સર્વ બિના કહેતે હતે. કેઈપણ કામ જે દિવસે જેવી રીતે કરવાનું કર્યું હોય તે સુમતિ મદના પાસે કહેતે હતે મદના પણ મિત્રત્વના હકથી મેહેંદ્રલક્ષમી પાસે સર્વ વાત કહેતી અને તે અતિ પ્રિતીસહ ઈન્દ્રદત્ત કુમારને કહેતી.. . . . . . . . . . . . . . . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036440
Book TitleHari Vikram Charitra
Original Sutra AuthorN/A
AuthorBhagubhai F Karbhari
PublisherJain Patra Office
Publication Year1907
Total Pages221
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size247 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy