SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ 196 હિ, નરેંદ્ર આકાશ પ્રમાણે તું તેજસ્વી પદાર્થોને રહેવાનું ઠેકાણું છે, તે પણ પ્રતાપી સૂર્ય તે એક તારે પુત્રજ. શું કહું? રત્નાકર ખરે, તેમાંથી પણ હરિવક્ષ સ્થળને અલંકાર ભૂત એવા કૈસ્તુભ મણિ શિવાય બીજું ઉત્તમ રત્ન ઉત્પન્ન થયું નહિ. રાજા વધારે કહીને શું કરવું છે? તું આ ઈદ્રદત્તના વડે કરીને ધન્ય છે, અને શત્રુને અસાધ્ય છે. મહીપતિ, મહેંદ્રપાળ રાજાએ તારી પાસે મને જે કાર્ય સારૂં મેકલેલો છે તે તું શ્રવણ કર. તે ગાડભૂપતીને, વિનયવતીથી થએલ, રૂપમાં દેવી પ્રમાણે, એવી મહેંદ્રલક્ષ્મી નામની કન્યા છે. તે કન્યાએ એક વખતે બંદિજનના મુખમાંથી ઈદ્રદત્ત કુમારના નિર્મળ ગુણ સમુદાયને શ્રવણ કર્યા. તે દિવસથી તે તેના ગુણો સાંભળવાને એકાગ્રંચિત્ત થઈ, તેના મનમાં ઈદ્રદત્ત વગર બીજે પુરૂષ નથી. કાવ્ય રચના કર વામાં, બોલવામાં, અગર ચિત્રો કાઢવામાં, આ તારે પુત્ર તેના મનમાં મરાઈ ગયે છે. બીજે કઈ પુરૂષ નહિ. એ પુત્રિને અભિપ્રાય સખીયો માત તેની માને જણાયાથી, તેણે ઈદ્રદત્તને તે કન્યા આપવા સારૂ રાજા પાસે વિનંતિ કરી. રાજાએ પણું કહ્યું “આનું પ્રેમ છે, તે યોગ્ય સ્થળ છે. આ કન્યા ક૯૫લતા ક૯પવૃક્ષ પર ચઢા” પછી પ્રધાન સાથે વિચાર કરી સ્વામિ ગાડભૂપતિએ કન્યા આપવાના હેતુથી મને અહિં મોકલે છે. હવે આ ઉપર જેવી આપની મરજી. એ પ્રમાણે દૂતે કહ્યા પછી સિંહરથ રાજા યુક્તિ પૂર્વક બોલવા લાગ્યા, + : ભાય, વિદ્યા, સુખ, દુઃખ, નેહ, લક્ષ્મી, આ સંબંધના મનુષ્યના કામો પ્રથમ દૂત મોકલીને જ નકિક કરવામાં આવે છે. ત્યારે શૈડભૂપતીને સંબંધ કોણ કબુલ નહિ કરે? માત્ર હું પુત્રને ત્યાં મોકલવાનું નથી, તેને વરવા વાસ્તે કન્યાએ જ અહિં આવવું જોઈએ.’ ત–પાછળના વેરભાવને સંભાળીશ નહિ, સર્વ જગત્ તારા પુત્રના ભયથી ગભરાઈ જઈ સુખથી નિંદ્રા પણ લેતું નથી. સૂર્યને ઉદય થતો નથી ત્યાં સુધી અંધકાર વધતો જાય છે, તેને એકવાર ઉદય થયો એટલે, અંધારૂ પણ નથી હતું, અને બીજો કોઈ તેજસ્વી પણ નથી હોતે. !. વગેરે. ઘણું દૃષ્ટાંતેથી રાજાને સમજણ પાડી દતે સર્વ કર્યો તેની પાસેથી કબૂલ કરાવ્યાં પછી ઘણી મિત્રમંડળીને ઈદ્રદત્ત સાથે આપી શુભ દિવસ જોઈ તેને લગ્ન સારૂ મોકલ્યા. પિતાના દેશની સરહદ પર ઘણું સૈન્ય રાખી, અને કેટલુંક સૈન્ય સાથે લઈ તે રાજગૃહ પુરમાં ગયો. તેના આવ્યાની વાત ખબર પડી એટલે રાજાએ પિતાના નગરમાં ઉત્તમ શેભા કરાવી, મોટા સન્માનથી વરનો નગરીની અંદર પ્રવેશ કરાવ્યા સિહરથ રાજા પુત્ર વિયોગથી કૃશ થઈ દુઃખથી મનની અં-* દર હમેશા પુત્રનું સ્મરણ કરવા લાગ્યો પુત્રની કુશળતા કહેનાર તે તરફથી કોઈ જ આવતું નથી, એવી પહેલાના વેરના સંબંધની શંકા રાજાના મનમાં આવી તેથી તે દખિત થવા લાગ્યો આવી રીતે સિંહરથ રાજા તદન અસ્વસ્થ થઈ રહ્યા હતે, એટલામાં ધુળથી સર્વાગ મલીન થઈ ગયેલું, એવો વાયુમિત્ર નામને લેખવા P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036440
Book TitleHari Vikram Charitra
Original Sutra AuthorN/A
AuthorBhagubhai F Karbhari
PublisherJain Patra Office
Publication Year1907
Total Pages221
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size247 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy