________________ છે. ઘણું લોકો કહેશે કે ઘણા બીજા શબ્દો વિશ્વવાત્સલ્યને પ્રગટ કરનારાં હોવા છતાં મેયાને જ બીજમંત્ર રૂપે શા માટે પસંદ કરવામાં આવ્યો છે? શું તેનાથી વિશિષ્ટ લાભો મળે છે? તો તે લાભો ક્યા છે? "3 મિયા શા માટે?” તેનો વિચાર તે અગાઉ થઈ ચૂકયો છે. હવે તેના ખાસ લાભો અંગે વિચાર કરવાને છે. મૈયા બોલવાથી સર્વ પ્રથમ લાભ એ થાય છે કે તે સાંભળતા નિર્દોષ આહાદની ઊર્મિઓ ઉછળવા માંડે છે. “મા” એ શબ્દ શબ્દ પણ સ્વાભાવિક રીતે વાત્સલ્યના આનંદને પ્રગટાવે છે. ગમે તે વ્યભિચારી, દુષ્ટ કે પાપી માણસે હશે, તો પણ માતાનું નામ સાંભળતાં તેના હૃદયમાં શુભ ભાવનાઓ જ ઊઠશે. માનું વાત્સલ્ય એવું હોય છે કે તે હૃદયના વિકારોને ધોઈ નાખે છે. પંચપરમેષ્ઠીમાં બધી કોટિના ઉચ્ચ સાધકો આવી જાય છે. એમના માટે તો આખા વિશ્વની માતા બનવાનું ધ્યેય ફરજિયાત સાધવાનું હોય છે. એટલે જ્યારે 3 મૈયા ઉચ્ચારાય ત્યારે એને સતત આવું ભાન રહી શકે કે હું જગતરૂપ સંતાનની ધર્મમાતા છું. જગતના બધા પ્રાણીઓ પ્રત્યે સુખ–સંવર્ધનસંરક્ષણરૂપ વાત્સલ્ય મારે સતત રેડતા રહેવાનું છે. એક સામાન્ય માતામાં પોતાના બાળક પ્રતિ વાત્સલ્ય રેડવાની, હુંફ આપવાની વૃત્તિ હોય છે ત્યારે જે સાધક વિશ્વની માતા બને છે, તેનામાં આખા વિશ્વના પ્રાણીઓ પ્રતિ વાસલ્યનો સક્રિય વહેવાર રહેવો જરૂરી છે તેને માનવો વાત્સલ્યની પ્રવૃત્તિ અને નિવૃત્તિ કરવાની રહે છે. તેનામાં વિશ્વ વાત્સલ્યતા એટલે કે વિશ્વ માતૃત્વવૃત્તિનું ભાન સતત રહેવું જરૂરી છે. પિતૃભાવમાં મોટા ભાગે કઠોરતા જ હોય છે જ્યારે માતૃભાવમાં કોમળતાને અંશ વધારે અને કઠોરતાનો અંશ ઓછો હોય છે. આમ બન્ને ભાવો તેનામાં હોય છે. માતા ગમે તેટલી કઠોર બને તે પણ તેનું અંતર રડતું હોય છે. આમ 3 મૈયા બેલવાથી કેવળ જગતના જીવો પ્રતિ આત્મીય ભાવ જ જાગતો નથી પણ એમના જીવનની સુરક્ષા પણ સજાગ બને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust