SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ લાગે. જે માત્ર નિવૃત્તિ કે ઉદાસીનતા રાખવામાં આવે તો સ્વાર્થ, ઘણા, અહકાર વગેરે દોષો પેસી જાય; અને જે માત્ર પ્રવૃત્તિ જ રાખવામાં આવે એટલે કે આત્મીયતાજ રાખવામાં આવે પણ આત્મીયતા વખતે દેશે કે અનિષ્ટો તરફ સાવધાની ન રાખવામાં આવે કે જાતે સાવધાન ન રહે તો મોહમાં તણાઈ જવાનો ભય રહે છે. એટલે ઘણા સ્વાર્થ, અહંકાર વિ. દોષની નિવૃત્તિ સાથેની આત્મીયતાની પ્રવૃત્તિ એ બને પાસાંઓ સાથેનું વિશ્વવાત્સલ્ય સંપૂર્ણ, પ્રેરક અને ફળદાયી બનશે. મુક્ત ચર્ચા અને ચિંતન વાત્સલ્ય વિકાસ પદ્ધતિની ત્રિવેણી શ્રી માટલિયાએ આજની ચર્ચાને પ્રારંભ કરતાં કહ્યું - ' મેં માલપુરાનું કામ ગોઠવવા માંડયું અને ત્યાં અન્યાયના પ્રતીકારના પ્રશ્નો આવ્યા. મુરબ્બી નાનાભાઈએ કહ્યું કે ખેડૂત સંગઠન એક ગામનું ન હોય. એટલે ખેડૂત-શ્રેયસાધક મંડળના છેડા સભ્ય વધારવા હું મેરબી તરફ ગયો. ત્યાં કપાસ લોઢવાની રાજ્યની મનાઈ હતી. કપાસના ભાવ પણ બાંધેલા ભાવ કરતાં વધારે થાય તો તે વધારાના પચાસ ટકા રાજ્ય કરરૂપે લઈ લેતું. એટલે ત્યાંના એક કાર્યકર ગોકુલભાઈએ એક સંમેલન કર્યું. તેમને રાજયે પકડી લીધા. હું મોરબી પહોંચ્યો કે મને ગામડામાં જવાની ના પાડી ! મેં નાનાભાઈની સલાહ માગી : “શું કરવું?” નાનાભાઈ ભટ્ટે કહેવડાવ્યું : “અત્યારના સંગમાં પાછા આવવું, પણ રાજાની આજ્ઞા ભાંગવી નહીં !" આ પછી મોરબીની પ્રાર્થના સભામાં જ વાત કરવી શરૂ, કરી. ખોરાણા ગામના ત્રીશ ખેડૂતોએ ઉપવાસ એટલા માટે માંડયા કે ભાટલિયા અમારી વાત સાંભળવા આવ્યા છે તો રાજયે અમને છૂટ આપવી !' P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036434
Book TitleDharmanubandhi Vishva Darshan Part 01
Original Sutra AuthorN/A
AuthorNemichandra Muni, Dulerai Mataliya
PublisherMahavir Sahitya Prakashan Mandir
Publication Year
Total Pages426
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size242 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy