________________ સાધના જેવી દીક્ષા પાળી ન શકે!” એટલે કે વિશ્વવાત્સલ્યની સાધના માટે કુટુંબ મેહ ન હોવો જોઈએ પણ કુટુંબ હિત અને તેને અનુરૂપ વાત્સલ્ય તો છેવું જ જોઈએ. જૈનમાં દીક્ષા આપતાં પહેલાં, દીક્ષાર્થીએ કેવળ મા-બાપની નહીં પણ સમાજની એ સંમતિ લેવી પડે છે. એમાં રાજીખુશીથી સંમતિ અપાય છે. તેનો અર્થ એ છે કે દીક્ષાર્થીને કુટુંબ પ્રતિ વાત્સલ્ય ભાવ છે, સમાજ પ્રતિ વાત્સલ્ય ભાવ છે અને હવે તેઓ એને વિશ્વવાસલ્યની સાધના માટે રજા આપે છે. વિશ્વ વાત્સલ્યની સાધના માટે કુટુંબ, સમાજ અને જ્ઞાતિઓ તરફ તો તેનું વાસલ્ય હોવું જ જોઈએ. એ પહેલાં પગથિયાં ચડ્યા વગર ઠેકડો મારીને વિશ્વાત્સલ્ય સાધી શકાતું નથી. જૈન આગમમાં જિન-કલ્પી સાધુઓની ચર્ચાનું વર્ણન આવે છે. આવા સાધુઓ સંધથી, નગરથી દૂર રહીને એકાંતમાં સાધના કરે છે, તપ કરે છે. પણ તેમની આત્મીયતા કે અનુબંધ “Àયાનુકૂળ સંબંધી તો સમાજની સાથે રહે જ છે. તેમને વ્યક્તજગતની સાથે સ્થૂળ અનુબંધ દેખાતું નથી પણ અવ્યક્તજગતની સાથે સેક્સ અનુબંધ વધતો જાય છે. તેઓ પોતાના જ્ઞાન વડે પરોક્ષરીતે સમાજની ગતિવિધિથી જાણકાર રહે છે. એટલું જ નહીં, સમાજમાં પ્રબળ અનિષ્ટ ચાલતાં હય, સમાજ ઉપર ખાસ આફત આવી હોય, સમાજમાં જ્ઞાનદર્શન ચારિત્ર્યની સુરક્ષા કરવાનો પ્રસંગ હોય ત્યારે તેઓ પિતાની સાધના છોડીને, જરૂર પડે ત્યારે આવે છે. ભદ્રબાહુસ્વામીના જીવનને એક પ્રસંગ છે. તેઓ નંદવંશના અંત સમયે અને મૌર્યકાળના પ્રારંભમાં થઈ ગયા. તે વખતે મગધની રાજધાની પાટલીપુત્રમાં જૈનોનું એક મોટું સંમેલન ભરાયું. તેમાં જૈનના સારા સારા વિદ્વાન સાધુઓ, વિદુષી સાધ્વીઓ, શાસ્ત્રાનુભવી શ્રાવકો અને શ્રાવિકાઓ ભેગાં થયાં. તે કાળે જે જ્ઞાન અપાતું તે સભળાવીને અપાતું; પૂર્વ જ્ઞાનીઓ એને કંઠસ્થ કરતા અને અનુગામી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust