SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રગટાવવા માટે વિશ્વ વાત્સલ્યમાં પ્રતિકારક અને નિર્માણ અને શક્તિને સમન્વય સૂચવવામાં આવ્યો છે. વિશ્વ વાત્સલ્યમાં અનિષ્ટનો પ્રતિકાર અને ઈષ્ટનો સ્વીકાર વ્યવહારૂ રીતે સૂચિત થાય છે તેમ સર્વોદયમાં થતાં નથી. મા બાળકને ભલા માટે, તેની ખરાબ પ્રવૃત્તિઓ અંગે નિપ્પર થાય છે, ત્યારે તેનું માતૃત્વ લજાતું નથી. બલકે શોભે છે. તેના અંતરમાં તે બાળક પ્રતિ આત્મીયતા હોય છે. જે અંગે તે મા) બાળકના ખરાબ કામ અંગે, પિતાનાં બાળકને ઠપકો આપવા પ્રેરાય છે કારણું કે તેનું અંતર રડતું હોય છે. એ વાત્સલ્યની પ્રેરણાથી જ બની શકે છે. વિશ્વવાત્સલ્યનો સાધક પણ એવી જ રીતે બન્ને પાસાંઓ લઈને ચાલે છે. તે સિવાય પણ સર્વ શબ્દ કરતાં વિશ્વ શબ્દ વધુ વ્યાપક છે. કારણ કે સર્વનો અર્થ ક્યારેક એક કુટુંબ, એક સમાજ કે એક વર્તુળ પુરત લેવામાં આવે છે જ્યારે વિશ્વ શબ્દથી આખા વિશ્વનું ભાન થઇ જાય છે. વિશ્વના પાણી માત્ર ઉપરાંત બધા ધર્મો, રાષ્ટ્રો, જાતિ, કુટુંબ કે સમાજને સમાજોને સમાવેશ વિશ્વમાં થઈ જાય છે, એટલે જ વાત્સલ્ય શબ્દની પૂર્વે વિશ્વ શબ્દ જોડ્યો છે. ઘણા લોકો કહેશે કે શું “અહિંસા " શબ્દથી વિશ્વ વાત્સલ્યનું કામ ન થઈ શકે ? એને વિનમ્ર ઉત્તર એ છે કે અહિંસા શબ્દથી કેવળ હિંસાથી નિવૃત્ત થવાને ભાવ ઘોષિત થાય છે–તેમાં પ્રવૃત્તિ તરફ જવાનો પડઘો પડતો નથી. ત્યારે વિશ્વ વાત્સલ્યમાં અનિષ્ટથી નિવૃત્તિ અને ઈષ્ટની પ્રવૃત્તિ-બને ભાવો સૂચિત થાય છે. સર્વપ્રથમ તો વિશ્વ વાત્સલ્યમાં પ્રવૃત્તિ સુચિત થાય છે પણ એ પ્રવૃત્તિને અનુરૂપ નિવૃત્તિનો ઘોષ પણ તે અંગે ઊંડી વિચારણા કરતાં સ્પષ્ટ થાય છે. આમ તો જૈન સાધુઓ અહિંસાનું પાલન કરે છે. તે છતાં તેમને અહિંસક કહેવામાં નથી આવતા પણ તેમને “વિશ્વવત્સલ” કહ્યા છે એટલે કે તેઓને છકાય (સંપૂર્ણ જીવસૃષ્ટિ)ના માતાપિતા, પીહર અને રક્ષક કહ્યા છે. તેઓ છ કાયની સાથે ઓતપ્રોત રહે છે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036434
Book TitleDharmanubandhi Vishva Darshan Part 01
Original Sutra AuthorN/A
AuthorNemichandra Muni, Dulerai Mataliya
PublisherMahavir Sahitya Prakashan Mandir
Publication Year
Total Pages426
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size242 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy