________________ વિશ્વવાત્સલ્યની પૂર્વભૂમિકા ગામડામાં ચાલુ હતુ. જેમાં નજરાતના મહાન વિશ્વ વાત્સલ્ય”ના નિરંતરના વાચકો ભાલ નળકાંઠા પ્રયોગની વાત - શબ્દો દ્વારા સારી પેઠે જાણે છે. એમાં પાયે ગામડાં છે. પૂરક કસબા અને શહેર છે. ગામડાંમાં જેમ ભારતીય સંસ્કૃતિનાં મૂળતો વિશેષ છે. તેમ શહેરમાં એ મૂળતા વિશેષરૂપે બચ્યાં હોય તો તે મહિલા જાતિમાં અને મજૂરોમાં. બાકી તો ગાંધીજીએ કહ્યું છે તેમ “ગામડાંને ચુસીને આજનાં શહેરો ફાલ્યાં કૂલ્યાં હે; શેતાનના ચરખા જેવાં છે.” અમદાવાદનું મજૂર મહાજન ગુજરાતના મહાનગરમાં ગાંધીજીને હાથે એ દષ્ટિએ રચાયું હતું. જેમાંથી દેશદષ્ટિએ ઈન્દુક નામની સંસ્થા બની છે. ગામડાંમાં પણ પરિશ્રમ, આજીવિકાનાં સાધનોનું ઉત્પાદન, શાન્તિ પ્રિયતા અને દેશની અહિંસક તાકાત ઈત્યાદિ કારણોથી ખેડૂતમંડળ રૂપી સંસ્થાની મહત્તા આ પ્રયોગમાં પ્રથમથી રહી છે. રામ, કૃષ્ણ, બુદ્ધ અને મહાવીર ભારતની અને જગતની અજોડ વિભૂતિઓ છે. તેમાંયે મહાવીર પરંપરા અહિંસામાં સર્વોપરી રહી છે. એ પાયામાં લોકશક્તિ જ હતી. એ અન્વયે ગાંધીજીએ સામુદાયિક અહિંસાના પ્રયોગ સૌથી વધુ રાજકીય ક્ષેત્રમાં અજમાવ્યા. તેઓ જાતે સંત, મહાત્મા, ધર્મપ્રિય અને આધ્યાત્મલક્ષી હોવા છતાં રાજકારણમાં પડયા; તે કોઈ સત્તા માટે નહીં પણ દુનિયાની માનવજાતના સામાજિક જીવનમાં સત્ય-અહિંસારૂપ ધર્મને ભરવાના સાધનને કારણે પડ્યા. કોંગ્રેસ કે ભારતમાં પેદા થયેલી, પણ આખા વિશ્વના રાજકીય તખતા ઉપર શાન્તિમાં કિંમતી ફાળો આપે એવી સંસ્થા આ યુગે પ્રારંભથી થયેલી. તેથી તેમાં તેઓ સક્રિય ભળેલા. સ્વયંસેવકથી માંડીને ઠેઠ પ્રમુખપદ સુધી ગયેલા. પરંતુ આટલું તાદાત્મ્ય સાધ્યા પછી તટસ્થતા સાધવા કે શું ? પણ ખરેખર બંધારણીય રીતે તેઓ પુનાના ઠરાવ નિમિત્તે છૂટા પડ્યા. અને છતાં જિંદગીના અંત લગી કોંગ્રેસ સાથે અનુબંધિત રહ્યા. આથી બીજે નંબરે આ પ્રયોગમાં કોંગ્રેસને લેવામાં આવે છે. કોંગ્રેસમાં વિશ્વવિશાળ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust