________________ જોર જોરથી રડવા લાગી. બાપ મજબૂત મનને હતો એટલે તે બોલ્યો : “એને રડવા દે ! તું ચાલ દીકરા !" એમ કહી તે બાપ દીકરાને લઈને ચાલવા લાગ્યો. કોઈ પણ દિવસ દીકરાને અલગ નહતો કર્યો એટલે મા પણ રડતી રડતી પાછળ જવા લાગી. બરાબર છાત્રાલય સુધી દોઢ માઇલ તે રડતી રડતી ગઈ છેક છાત્રાલયમાં દાખલ થયા અને મા પાછી વળી. બે ત્રણ દિવસ. થયા કે તે ફરી તેને ઘેર તેડી ગઈ. આ માતાનું હૃદય છે. તેની અંદર કેટલો પ્રબળ ભાવ હોઈ શકે તેને આ દાખલો છે. આજકાલ તે લોકોને બાળક થાય, એ ગમતાં નથી; તેમ જ ભણતરની સાથે એક ખોટો વા ચાલ્યો છે, તે પ્રમાણે. શિક્ષિત માતાઓમાં બાળ ઉછેર તરફ બેદરકારી વધતી જાય છે. રશિયામાં બાળકને જન્મ આપ્યા પછી સરકાર માતા પાસેથી બાળકને લઈ લે. છે. યુરોપમાં પણ મોજ-શેખ પાછળ માતાએ બાળકોને ઉછેરવાથી કંટાળી જાય છે એટલે આઘા રાખે છે. પણ જે વાત્સલ્યભાવ એક. માતા બાળક પ્રતિ રેડે તે બીજી ન રેડી શકે. આ વાત્સલ્ય અગાઉ લોહીના સંબંધ સુધી હતું. એક સમય એવો. * હતો જ્યારે સ્ત્રી બાળકોની સારસંભાળ રાખતી, તેને ઉછેરતી અને તેમનામાં સંસ્કારે રેડતી. બાળકો તેની આંખ આગળ મોટાં થતાં. પણ ધીમે ધીમે માનવે ટોળાઓમાં રહેવું શરૂ કર્યું, સમાજ સ્થપાયો. અને પ્રજાજીવનના ઘડતરની જવાબદારી સાથે બાળકોના ઘડતરની જવાબદારી સમાજ ઉપર વધારે ને વધારે આવી. આજ સુધી માનવ સમાજે પિતાની જે પ્રગતિ સાધી છે તેના ઉપકારના બદલે સમાજને ચરણે સંતાને ધરવા અને સમાજનું ઋણ ઉતારવાનું સાધન સંતાન મનાવવા લાગ્યું. જેને સંતાન ન થાય તે અભાગીય ગણાવા લાગ્યો.. ' “અgaહ્ય રતનરિત, * स्वर्गा नैवच नैवच P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust