________________ 386 કલ્યાણરાજ્ય પહેલાં અને પછીનું વિશ્વ આ અગાઉ કલ્યાણરાય પહેલાં દેશ-પરદેશની સ્થિતિ ઉપર વિચાર થઈ ગયો છે. તેને જરા વિસ્તારથી જોઈએ. સામ્યવાદીઓએ યુરેપમાં એ કલ્પના આપી કે લોકોને રોટલો, મકાન, મજુરી અને બીજી સુખસગવડોની બાહેધરી આપીએ પણ બદલામાં લોકોએ મજૂરોની સરકાર પસંદ કરવી; અને બધાંએ તેને ટેકો આપવો. આમ નકકી થયું. એ અગાઉ રશિયાને ઇતિહાસ જોઈશું તે જણાઈ આવશે કે ત્યાં મૂળ અમર્યાદિત સ્વતંત્રતા હતી. તેને લીધે અતિ શ્રીમંતાઈ ગરીબાઈ, અસમાનતા વગેરે હતાં. બાળકો અને સ્ત્રી પાસેથી વધુ કામ લેવાતું તેને લીધે ત્રાસ હતો. આથી પ્રજાને મોટે ભાગ ત્રાસી ગયો અને તેમણે તે વખતની ઝારશાહી સરકારને ઉથલાવી નાખી. - ત્યારબાદ મજૂર રાજય આવતાં અને રાજદ્વારા કલ્યાણનાં કામ થતાં, શરૂ શરૂમાં સહુને બહુ ગમ્યું. આટલા કલાક કામ, નિશ્ચિત પગાર, શિક્ષણ અને દવાની સગવડ, રોટલાનું પાપ દૂર, વૃદ્ધાવસ્થા માટે સગવડ, દુષ્કાળ પડે કે અશક્ત થાય ત્યારે સગવડ, આ બધું લોકોએ સ્વીકારી લીધું. રશિયાના સામ્યવાદે પછી કેવું વલણ લીધું? લોખંડી પડદા પાછળનો એ દેશ કહેવાય અને આજે યુદ્ધના આરે ઊભેલી બે પ્રચંડ શકિતમાંનું એક તે બની ગયું છે એનો ઈતિહાસ સ્પષ્ટ છે. આમ થવાનું કારણ એક તો એ છે કે સામ્યવાદને મૂડીવાદી દેશ દ્વારા કચડાઈ જવાનો અને ફરી પાછું ત્રાસદાયક રાજ્ય શરૂ થવાને સતત ભય છે. ભારતની સ્થિતિ : I હવે ભારત અંગે વિચાર કરીએ. ભારતે પણ કલ્યાણકારી રાજ્યને સ્વીકાર્યું પણ લોકોના ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા સ્વીકાર્યું. મજૂરના હિતના કાયદા, ઠેર ઠેર દવાખાના, ઉઘોગીકરણ, પાણીની સગવડ, P.P. Ac. Gunratnasuri M.S. n Aaradh SK Trust