SearchBrowseAboutContactDonate
Page Preview
Page 372
Loading...
Download File
Download File
Page Text
________________ ૩પ૬ જ્યાં સુધી સત્તાના વિકેન્દ્રીકરણની વ્યવસ્થિત યોજના અને સંગઠને દ્વારા લોકઘડતર ન થાય ત્યાં લગી આ વાત વિચારે આપવાથી આવવાની નથી. લકનીતિની નિષ્ઠા માટે સર્વોદયમાં ત્રણ વાતો બતાવવામાં આવી? (1) અહિંસા, સત્ય, અસ્તેય (2) નિષ્કામ સેવા, સકામવૃત્તિ સહન (3) અને દંડ નિરપેક્ષ લોકશક્તિ. આ ત્રણે વાતો વિચારમાં સારી લાગે છે પણ તેના આચરણ માટે શું? એ માટે એક ઠેકાણે વિનોબાજીએ લોકનીતિનાં ચાર કર્તવ્યો નીચે પ્રમાણે બતાવ્યાં છે - (1) આ નિશ્ચય કરે કે સરકાર અગર તે લોકો દ્વારા હિંસા ન થાય. (2) પોતાના પ્રશ્નો આપણે સરકાર નિરપેક્ષ જનશકિતથી ઉકેલીએ. (3) દેશમાં શિક્ષણ સ્વતંત્રતા આવે. (4) આજની ચૂંટણી પદ્ધતિ બદલવામાં આવે. એ સિવાય (ઉપરની બાબતે) કાનૂની મદદ ન લેવાય, સેન અને શસ્ત્રોનો ઘટાડો આ બધા વિધાનની પાછળ કોઈ વહેવારૂ અનુભવ થયો હોય કે પ્રયોગ કર્યો હોય એમ લાગતું નથી. અનુભવ, વહેવાર કે પ્રયોગના અભાવે આજના સર્વોદયના પ્રણેતા વિનોબાજીના રાજનૈતિક વિચારો અસ્પષ્ટ, પરસ્પર વિરૂદ્ધ અને કયાંક તો અસંગત લાગે છે. એક વખત વિનોબાજી સ્વરાજ્ય પછી સુરાજ્ય કે સુશાસનની વાત કરે છે અને એવા સુશાસન માટે “સત્તા નિરપેક્ષ નિષ્પક્ષ સમાજ નું સ્વરૂપ મૂકે છે ત્યારે બીજી તરફ શાસનમુક્તિની વાત પણ કરે છે. - વિનોબાજીના શબ્દોમાં જ કહીએ તે દેશની વર્તમાન પરિસ્થિતિ જોતાં ત્રણ પક્ષે રહેશે. એક અધિકારી પક્ષ રહેશે, જે બહુસંખ્યાન આધારે રાજ્ય ચલાવવાની જવાબદારી ઉપાડશે. બીજો એક વિધી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036434
Book TitleDharmanubandhi Vishva Darshan Part 01
Original Sutra AuthorN/A
AuthorNemichandra Muni, Dulerai Mataliya
PublisherMahavir Sahitya Prakashan Mandir
Publication Year
Total Pages426
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size242 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy