SearchBrowseAboutContactDonate
Page Preview
Page 365
Loading...
Download File
Download File
Page Text
________________ 349 ગ્રામદાન વિષે કહું તો કેટલાક કાર્યકરોએ વિશેષ અતિશયોકિત કરીને મેળવ્યાં. કેટલાકે વિનોબાજીની આડે, રાજ્ય અને સમાજ પાસેથી કંઈક મળશે એમ ધારીને ગ્રામદાન કર્યા. કેટલાકે ગ્રામદાન કરશું તો સરકારી કરજ વગેરેમાંથી રાહત મળશે એવા લોભે કર્યા. બાકી ભૂમિદાનમાં, ભાલ નળ - કાંઠાને તેમ જ આદરોડાને વગેરે પ્રસંગ બન્યા તેમાં તો પ્રત્યક્ષ સફળતા નજરે ચડી. ટુંકમાં જ્યાં સંગઠન અને નૈતિક દેખરેખ બરાબર રહી, ત્યાં વાંધો ન આવ્યો. છતાં દીર્ધદષ્ટિને અભાવ અને ખાસ લોકોએ ભૂદાન પ્રણેતાનું જાગૃતિપૂર્વકની ક્રિયાશીલતા બાબતમાં જે ધ્યાન દોરવું જોઈએ તે ન દોર્યું, પરિણામે વ્યવસ્થા, સાવધાની કે સર્વાગીપણું ન રહ્યાં. બાકી પાટણમાં એ જમાનામાં પૂ. શ્રી રવિશંકરજી મહારાજના સાનિધ્યમાં જે કાર્ય થયું તેમાં ઈશ્વરીય પ્રેરણા હતી એવું લાગ્યું. પણ ગાંધીજી જેમ સાવધાન રહેતા તેમ, આ સર્વોદયી. કાર્યક્રમોમાં કાર્યકરોએ સાવધાનીપણું અને સર્વાગીપણું બને ન રાખ્યાં. તેના વગર સફળતાને કરૂણ ફેજ આવ્યો. ગતિ સાથે દિશા સૂચન શ્રી સુંદરલાલ : ગતિની સાથે દિશા સૂચન હંમેશા રહેવું જોઈએ. સર્વોદયમાં ગતિ વર્ધકતા તે રહી પણ દિશા સૂચન ખસી ગયું... વિનોબાજી પ્રતિ મને પૂરો ભાવ છે. પણ કાર્યક્રમો પરત્વે તે કહેવું જોઈએ ! “દળાતું ગયું અને કુતરાઓ ચાટતા ગયા” એના જેવું થયું. સત્ય સાથે અહિંસા તેજાબનું કામ કરે છે. પણ યોગ્ય સ્થાનનું ભાન હોવું જોઈએ. હું ભૂદાન કાર્યકરો સાથે ફરતો પણ તેમાં ઊંડા ઊતરતાં સર્વાગીપણું અને ચેકસ દિશા ન દેખાઈ આપણે પણ રેજી, રોટી સલામતિ અને શાંતિના કાર્યક્રમો આજે ચાલે છે તેને દિવસે દિવસે વધારશું તો જ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવના પ્રમાણે કામ ચાલશે, નહીંતર આપણા પવિત્ર અને વિશાળ કાર્યક્રમના પણ એજ હાલ થશે. . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036434
Book TitleDharmanubandhi Vishva Darshan Part 01
Original Sutra AuthorN/A
AuthorNemichandra Muni, Dulerai Mataliya
PublisherMahavir Sahitya Prakashan Mandir
Publication Year
Total Pages426
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size242 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy