SearchBrowseAboutContactDonate
Page Preview
Page 344
Loading...
Download File
Download File
Page Text
________________ (328 એટલે સાતત્ય અને નિયંત્રણ ન થઈ શક્યાં. કાર્યકરો પણ ભૂદાન અંગે વિનોબાજીની રીતે જ કાર્ય કરતા ગયા. જે ભૂમિ દાનમાં મળી તેની મેં તે રહી પણ તેની વ્યવસ્થા ન થઈ. મૂળ તો તેમણે કોઈ જન- * સંગઠન સાથે ભૂદાનનો અનુબંધ ન જોડ્યો. બીજી તરફ આ કાર્યક્રમ માટે તેમ જ કાર્યકરોના નિર્વાહ માટે ગાંધી સ્મારક નિધિની મદદ મળતાં; જેમણે કદિ દેશસેવામાં ભોગ નહોતો આપો તેવા ઘણાખરા અણઘડ લોકો કાર્ય કરવા માટે નહીં, પણ રેજીનું સાધન સમજીને જોડાયા. તેઓ મરજીમાં આવે તેમ ખર્ચ કરવા લાગ્યા કારણકે કોઈ નિયંત્રણ ન હતું. આ અનિષ્ટનું નિરાકરણ કરવા માટે કોઈ ઉપાય કે વ્યવસ્થા વિચારવાના બદલે વિનોબાજીએ નિધિ મુકિતનું આંદોલન ચલાવ્યું, એટલે કાર્યકર ઓછા થતા ગયા અને ભૂદાન આંદોલનની નોંધ પણ ઓછી થવા લાગી. ભૂદાન કાર્યક્રમના અન્વયે તેમણે જીવનદાન આંદોલન ચલાવ્યું. એમાં ઉચ્ચ કક્ષાવાળા સાધકને બદલે અથવા તો વાનપ્રસ્થ જીવનવાળા લોકોને બદલે પ્રાયઃ બાળબચ્ચાંવાળા અયોગ્ય માણસો દાખલ થયા. જેમના ખર્ચ માટે બસો-અઢીસેના પગાર ગાંધી સ્મારકનિધિ મારફત અપાવ્યા અને કયાંક સંપત્તિદાનથી અપાવ્યા. આવા પેટ માટેના સેવકોમાં સેવાની ભાવના ન હોવાથી જીવન-દાનને કાર્યક્રમ પણ અસફળ જેવો જ રહ્યો. 'ગાંધીજીના સમયમાં રચનાત્મક કાર્યકરો સંસ્થા સાથે અનુબંધ - રાખીને કાર્ય કરતા હતા. તેમને ભૂદાન કાર્યમાં જોડાવા અને તે સંસ્થાનું કામ છોડવા વિનોબાજીએ તંત્ર-મુકિતનો કાર્યક્રમ મૂક્યો. પરિણામે ભૂદાન સમિતિઓ તો વિસર્જિત થઈ એટલું જ નહીં, એની સાથે ઘણું અનુભવી કાર્યકરો છૂટા થતાં, સંસ્થાનું કામ ખરંભે ચઢયું. પરિણામે ગાંધીજીની જે સર્વાગી અને સર્વક્ષેત્રસ્પર્શી દ્રષ્ટિ હતી તે ન રહી અને જે સર્વાગી રચનાત્મક કાર્ય થવું જોઈતું હતું તે અટકી પડયું. અનિષ્ટમાં સંસ્થાની વિરૂદ્ધ વ્યક્તિવાદ જાગે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036434
Book TitleDharmanubandhi Vishva Darshan Part 01
Original Sutra AuthorN/A
AuthorNemichandra Muni, Dulerai Mataliya
PublisherMahavir Sahitya Prakashan Mandir
Publication Year
Total Pages426
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size242 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy