________________ 325 શ્રી નેમિમુનિએ વિષય બહાર ચર્ચા થતી જોઈને કહ્યું : “મહાનુભાવો ! આપણે જે ચર્ચા કરી રહ્યા છીએ તેમાં વિષયાંતર ન થવાની કાળજી રાખવાની છે. રાજાઓ, રાણીઓએ ભલાઈનાં કાર્યો ર્યા. તે કાર્યોને આપણે કલ્યાણ રાજ્યમાં કદાચ લેખાવીએ પણ તેને સર્વોદયમાં સમાવેશ ન થઈ શકે. સર્વોદય રાજ્યથી પણ ન થઈ શકે તેમ શ્રીમંતોના દાનથી પણ ન થઈ શકે. કર્તવ્ય કે પ્રાયશ્ચિત માનીને આપે તો જ તે દાન કોઈ પણ પ્રકારની ગ્રંથિનું કારણ ન બને. એટલે રાજ્ય અને મૂડી બને ઉપર લોકસંગઠન દ્વારા લોકનીતિને પ્રભાવ પાડવામાં આવે તો જ સર્વોદય સાર્થક થઈ શકે. વિશ્વ વાત્સલ્યની નજીક સર્વોદય . કે - કે એ માટે જનસંગઠને, જનસેવક સંગઠને અને એ બન્નેને સતત માર્ગદર્શન આપનાર ક્રાંતિપ્રિય સાધુ-સાધ્વીઓ જોઈશે. વળી જ્યાં સમાજ આવ્યો ત્યાં પ્રશ્નો, સંઘર્ષ વગેરે અનિવાર્યપણે રહેવાનાં. રોટલો, એટલે કે પહેરવેશ મળી જાય, એથી પ્રશ્નો નથી ઊઠવાના એમ માનવું એ પાયાની ભૂલ છે.' ' એટલે જ આજ સુધી સર્વોદયનું જે સ્વરૂપ વિકસ્યું છે તેમાં સામુદાયિક અહિંસાના પ્રયોગ, સર્વધર્મોપાસના, નૈતિક સંગઠને તેમ જ રાજ્યને ગૌણ બનાવવા માટેના સક્રિય પ્રયતને અને તેમનું અનુસંધાન વગેરે વાતો ઉમેરવી પડશે. આવતા અઠવાર્થેિ સર્વોદયના કાર્યક્રમો અંગે વિચાર કરશું ત્યારે વધુ કહેવાશે, પણ હમણું આટલું તે કહેવું જ પડશે કે વિશ્વ વાત્સલ્યની વાતોથી સૌથી નજીક સર્વોદય છે. અને દેશની અંદર કોંગ્રેસ અને 5. જવાહરલાલ છે. પણ એ બન્નેને વિશ્વવાત્સલ્ય સાથે સાંકળવા ઘણો પ્રયાસ કરે પડશે. માર્ગદર્શન અને પ્રભો, સંબઈ થી પ્રભો P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust