________________ ૩ર૩ વિટાવ, વ્યાજ વગેરે અનિષ્ટો છૂટે તોજ રાજ્ય સર્વોદયના માર્ગે અને સર્વોદય વિશ્વ વાત્સલ્યના માર્ગે જઈ શકે. ટુંકમાં રાજ્ય, પ્રજા, પ્રજાસેવક તથા ક્રાંતિપ્રિય સાધ્વીઓના અનુબંધથી ભાલ નળકાંઠા પ્રયોગની જેમ અનુબંધપૂર્વક એગ્ય દિશામાં કામ થાય તો જરૂર વિશ્વમાં મૂળ પલટો કરી શકાય. રામરાજ્ય કે સર્વોદય કંઈ ઉપરથી આવવાના નથી. દરેકે સાથે મળીને પ્રયત્ન કરવા પડશે. મારા નમ્ર મતે બીજાના દુઃખે દ્વવે તે દેવ અને બીજાના દુઃખે હસે તે રાક્ષસ છે. અસમાનતાનું મૂળ : શ્રી પૂંજાભાઈ કહે : “મને તો અસમાનતાનું મુખ્ય કારણ ચારેબાજુથી કમાતો માનવી લાગે છે. એક ધધો અને બાંધી આવક હોય તો પાયાનો ફેરબંધ થઈ જાય. વધુ પડતો સંગ્રહ એજ ઝેર છે. ઝાડ સુદર ત્યાં લગી રહે જ્યાં સુધી અંદરનાં મૂળિયાં પ્રેમપૂર્વક રસ અંધારામાં રહીને પણ ખેંચ્યા કરે, પણ ઉધઈ લાગે તે ? એમ કિસાન, શ્રમજીવીઓ, માતાઓ વગેરેના સતોષ ઉપર સમાજ હર્યોભર્યો છે. એટલે અસંતોષ વધે તે પહેલાં જ શ્રીમંતો અને સત્તા લક્ષીઓએ સ્વયં ચેતવું જોઈએ. કલ્યાણરાજના અમલદારો કે શ્રીમતી વગેરે આ સમજે તો સર્વોદય અને ક્રમથી વિશ્વ વાત્સલ્ય તરફ તેમણે આવવું જોઈએ. શ્રી બલવંતભાઈ: “દાદા ધર્માધિકારીઓના કંઈક આવાજ શબ્દ છે કે “નાગરિકોમાં–લોકોમાં પરસ્પર પ્રીતિ અને વિશ્વાસ હોય તે રાજ્યની જરૂર બહુ ઓછી રહે,” અને લોકોમાં એ જગાડવાનું સાધન નૈતિક જનસંગઠન છે; જેના હાથમાં રાજ્ય આર્થિક-સામાજિક પ્રશ્નો છેડી દેવા જોઈએ. વિશ્વ વાત્સલ્ય એટલે પ્રાણી માત્રને સર્વોદય : પૂ. શ્રી દંડી સ્વામી કહે : વિશ્વ વાત્સલ્ય પ્રાણી માત્રને સર્વોદય છે છેપણ પ્રથમ આપણે માનવસમાજ લેવો પડશે. બૌદ્ધ ધર્મમાં અહત. પ્રત્યેક બુદ્ધ અને બોધિસત્વ એ ત્રણ દશા ગણવામાં આવી છે. તેમાં બોધિસત્વ એ છે કે જે બીજા બધાને મોક્ષમાં એકલી ગાડ” રૂપે સૌથી પાછળ જાય છે, ત્યાં સુધી મેલમાં જવાની ના પાડે છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust