SearchBrowseAboutContactDonate
Page Preview
Page 335
Loading...
Download File
Download File
Page Text
________________ 319 દંડશક્તિએ ખરેખર છેલ્લું સ્થાન મેળવવું જોઈએ. પણ, તેના બદલે તેણે પહેલું સ્થાન લઈ લીધું છે. તેને ખસેડવા માટે ઘડતર પામેલા શુદ્ધિપ્રયોગકારો અને શાંતિનિકે એ જનસંગઠનો સાથ મેળવવું જોઈએ. આ અંગે અધતન સર્વોદયે ઉંડાણથી વિચારી, સર્વાગી અને સર્વ ક્ષેત્રદયી વ્યાપક સર્વોદયનું સ્વરૂપ બનાવવું જોઈએ. ચર્ચા-વિચારણું . સર્વોદયે સ્વરૂપ બદલવું રહ્યું: શ્રી પૂજાભાઈએ “સર્વોદયનું આજસુધીનું સ્વરૂપ” એ મુદા ઉપર ચર્ચાને ઉધાડી, તેમણે કહ્યું - “આમ જોવા જઈએ તો સર્વોદયને વિકાસ પણ ધીમે ધીમે થયો છે. રાજાઓ પ્રજા પાસે કર ઉઘરાવી કે બીજી તરફ શ્રીમંત ઉપર દબાણ લાવી બીજા ખાતર ઘસાવાની વાત શીખવતા. તેમજ 18, સાધનસંપન્ન માણસે આપમેળે બીજા માટે ત્યાગ કરતા, અને માનતા કે આ સાધનસંપન્નતામાં ભલે અમારો સીધો પ્રયત્ન છે પણ સમાજ અને સમષ્ટિનો આડકતરે પ્રયત્ન તે છે જ! અમારે વિકાસમાં મા-બાપ ઉપરાંત સમાજે અને સવિશેષે કુદરતે પાણ, પ્રકાશ, હવા વગેરેએ આવી કેટલી મોટી મદદ કરી છે. આમ માનીને પર પકારના રસ્તે સહેજે ખેંચાતા. રામ અને કૃષ્ણ સર્વાગી ક્રાંતિની રીતે સર્વોદય વિકસાવ્યો પણ તે ઈશ્વરીય વિભૂતિઓ હતી; તેના કારણે તેમનાથી એ શક્ય થયું. જેમકે શ્રી રામે આદિવાસી-વનવાસી અને વાનરો સાથે રહીને પણ જે રીતે કામ કર્યું; શ્રી કૃષ્ણ વ્રજમાં ગોવાળિયાઓ સાથે ઓતપ્રેત બની જે કાર્ય કર્યું. તેને પાયાને સર્વોદય કહી શકાય. તેવા પુરૂષોએ તો કિષ્કધા અને લંકામાં જે કાર્યવાહી યુદ્ધની બજાવી તે પણ દેશ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036434
Book TitleDharmanubandhi Vishva Darshan Part 01
Original Sutra AuthorN/A
AuthorNemichandra Muni, Dulerai Mataliya
PublisherMahavir Sahitya Prakashan Mandir
Publication Year
Total Pages426
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size242 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy