________________ 316 ડાઓના આત્મસમપર્ણના સંત વિનોબાજીના કાર્યને અંતે રાજ્યસત્તાઓ અને પિલિસોએ કઈ રીતે બિરદાવ્યુ એ તરફ અંગુલિનિર્દેશ કરો બસ થશે. સં. ]. સંત વિનોબાજી મ્ય-સત્યાગ્રહની વાત કરે છે પણ તેની કોઈ - વ્યાપક પ્રક્રિયા કોઈ ક્ષેત્રમાં ઊભી કરવામાં આવતી નથી માત્ર પાદયાત્રાને જ સૌમ્ય સત્યાગ્રહની પ્રક્રિયામાં ન ખપાવી શકાય. ગાંધીજીએ તો સંગઠિત રીતે અન્યાયના પ્રતિકાર માટે સત્યાગ્રહ કર્યા– કરાવ્યા હતા. એટલે આખો દેશ જાગ્યા હતા અને સર્વોદય તરફ વળ્યા હતે. અધતન સર્વોદયવાદમાં આવી પ્રક્રિયાઓ ઊભી ન થતાં અનિષ્ટોનાં અંધારા દૂર થતાં નથી અને સમસ્યાઓ ઉલટી વધુ ને વધુ ગુચવાતી જાય છે. અદ્યતન સર્વોદયનાં સિદ્ધાંતને સૂત્ર : સર્વોદયનું સૌથી પહેલું સુત્ર છે. “શેષણ વિહીન સમાજ રચનાઝ શેષણવિહીન સમાજ ત્યારે જ થઈ શકે જ્યારે શોષણના જે તે છે તેને અટકાવવામાં આવે. શોષણના ત્રણ સ્ત્રોત છે :(1) બુદ્ધિ દ્વારા (2) સંપત્તિ દ્વારા અને (3) રાજ્ય દ્વારા. - બુદ્ધિ દ્વારા શોષણને પ્રકાર આ પ્રમાણે છે કે ગામડામાંથી કાચે માલ વેપારી કે દલાલો ઓછા ભાવે લઈ જાય છે અને શહેરો પીઠોમાં ઉંચા ભાવે વેચે છે એટલું જ નહીં, માલ લઈ જવાની દલાલી, આડત કે કમીશન પણ ગામ પાસે જ વસુલ કરે છે. એના બદલે જનસંગઠને ' દ્વારા સંચાલિત સામુદાયિક પ્રવૃત્તિ તરીકે ગામની સહકારી મંડળીઓ જ સીધે સંપર્ક શહેરની પીઠે સાથે રાખે છે, જાતે ભાવ નક્કી કરે અને વેચે તે ભાવ પણ સરખે આવે અને વચમાંની દલાલી, કમીશન, આડત વિગેરે બચતાં, ગામડાનું શોષણ અટકી શકે. એવી જ રીતે કાચા ભાલને પાકા માલમાં ફેરવવા અંગે ગામડાંમાં જ સહકારી ધોરણે જીન કે પ્રેસ વગેરે નંખાય તો યે ગામડાનું શોષણ અટકે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust