________________ 311. વ્યક્તિગત એકાંત સાધનામાં વર્ષો ગાળ્યાં છે. આથી તેમણે સર્વોદયની ધૂરી હાથમાં આવતા કોઈ પણ કાર્યમાં સંગઠનની વાત. કરી નથી. સંગઠનમાં તે કડક શિસ્ત, નિયમના બંધન અને જવાબદારી હોઈને, તેઓ જાતે કઈ સંગઠનમાં જોડાયા નથી તેમણે જવાબદારી લીધી નથી એટલું જ નહીં સંગઠન તરફ ઉપેક્ષાવૃત્તિ ધારણ કરી છે. ' એટલે ગાંધીજી જે સંગઠન દ્વારા સર્વોદયમાં માનતા હતા અને સંગઠનના કડક નિયમ, શિસ્ત અને જવાબદારીમાં માનતા હતા તે ભાવના ઓસરતી ગઈ અને એક નવી ભાવનાએ આકાર લીધે કે વ્યકિતદ્વારા જ ક્રાંતિ થઈ શકે અને લોકો પણ એમ માનવા લાગ્યા, કેવળ વિનોબાજી નહીં; 1851 પછી જેટલા નવા નવા સર્વોદય કાર્યકરો આવ્યા તેમની પાસે પણ ગાંધીજીની સર્વાગી-સર્વોદય દષ્ટિ ન હોવાના કારણે તેઓ પણ સંગઠન વગર વ્યકિતગત ' રીતે ભૂદાન કાર્ય કરતા રહ્યા. જો કે કેટલાક ભૂદાન મંડળો ઊભાં થયાં પણ તેમાં બંધારણ કે નિયમપનિયમની શિસ્ત ન રહી. સહુ વિનોબાજીનું અનુકરણ કરવા લાગ્યા. સર્વોદય કાર્ય માટે ગાંધી સ્મારક નિધિના ભંડાર ખુલા હતા. એટલે નવા સર્વોદયી કાર્યકરોની ભીડ જામવા લાગી અને એમાં કેટલાક ગોટાળા પણ થવા લાગ્યા. એટલે લોક શ્રદ્ધા ઓસરતી ગઈ. ભૂદાનના કારણે જે એક વિચારક્રાંતિનું મોજું દેશવ્યાપી પ્રસર્યું હતું તેને પ્રભાવ ઓ થવા લાગ્યો. ભૂદાન કાર્યકરે અને ભૂ-વિતરણ પાછળના અનહદ ખર્ચને જે લોકોમાં જમીન આપવાનો રસ ઓછો થયો. પણ સહુથી મોટી ફેરબદલી એ થઈ કે જે સર્વોદય, સર્વ ક્ષેત્રને સ્પર્શતે હતો અને જેને ગાંધીજીએ જુદાં જુદાં સંગઠન અને કાર્યક્રમો દ્વારા વ્યાપક બનાવ્યો હતું તે સીમિત બનીને “ભૂદાન'ની એકાંગી પ્રવૃત્તિ તરફ આવીને તેને જ સ્પર્શતે રહી ગયે. જુદાં જુદાં સંગઠનનું એકીકરણ જરૂર કરવામાં આવ્યું અને તેને સર્વ - સેવા સંઘ નામ આપવામાં આવ્યું. આમ સર્વોદયને પાયે તે નીકળી ગયો અને તેને બદલે સર્વ - સેવા આવી. . : : : : P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust