________________ 309 એ ઉપરાંત ગાંધીજી સર્વોદયને અર્થ એટલે બધાય ક્ષેત્રનો ઉદય એમ માનતા હતા. એટલે તેમણે રાજકારણ, અર્થકારણ, સમાજકારણ વગેરે દરેક ક્ષેત્રનો ઉદય કેવી રીતે થાય તેની કાળજી રાખી હતી. રાજનીતિ જેવા અટપટા ક્ષેત્રમાં પણ જે અનિષ્ટો જામી ગયા હતાં; તેમને શુદ્ધ કરવા માટે પોતે અખંડ પ્રયત્નો કરતા રહ્યા. બધાય ક્ષેત્રોમાં પેસેલાં અનિષ્ટો ને દૂર કરવાથી “સર્વોદય” સર્વ ક્ષેત્રોદય થઈ શકે. તેમણે કોઈપણ એક ક્ષેત્ર છેડ્યું ન હતું. કોંગ્રેસના તેઓ પ્રારંભથી ટેકેદાર હતા. તેમણે બધાય ક્ષેત્રમાં નૈતિક-સંગઠને ઊભાં કર્યા હતાં. જે બાકી રહ્યાં ત્યાં સંગઠનો ઊભાં કરવાનાં હતાં. એટલે કે સંગઠને વડે જ તેમણે સર્વોદયને નવું રૂપ આપ્યું હતું. સામાજિક ક્ષેત્રમાં ઊંચનીચના ભેદભાવ, પૃથ્યાસ્પૃશ્યના ભેદ, હજૂર-મજૂરના વર્ગો દૂર કરી હરિજન સેવક સંઘ વડે તે કામ ઉપાડ્યું હતું. લગ્ન-પ્રથા, મહિલા ઉન્નતિ વ.ના કાર્યોને તેમણે નવું રૂપ આપ્યું. આર્થિક ક્ષેત્રમાં તો ગ્રામસ્વરાજ્ય દ્વારા તેમજ ગ્રામદ્યોગની પ્રક્રિયા તેમણે લીધી જ હતી. શિક્ષણના ક્ષેત્રમાં નઈ-તાલિમ, ભાષા પ્રશ્ન વ. ઉકેલવા માટે નઈતાલિમ સંઘતારા ઉદયનું કાર્ય કર્યું હતું. સાંસ્કૃતિક ક્ષેત્રમાં ભારતીય સંસ્કૃતિને અનુરૂપ સંસ્કૃતના તત્વે સુરક્ષિત રાખવાને તેમનો પ્રયાસ રહ્યો હતો. ધાર્મિક ક્ષેત્રમાં સાધુ-સાધ્વીઓ પ્રતિ તેમને ખૂબજ આદરભાવ હતો. તેઓ હંમેશાં સાધુવંગને કહેતાઃ “તમે પિતાના સ્થાને અને મર્યાદામાં રહીને બધા ક્ષેત્રોમાં નીતિ-ધર્મ પ્રવેશ કરાવવાનું ઘણું કામ કરી શકે છે.” આમ ગાંધીજીની હૈયાની સુધી સર્વોદયની દષ્ટિએ સર્વક્ષેત્રે કામ થયાં. “સર્વોદય” માસિક પણ પ્રગટ થતું હતું અને તેમની હયાતીમાં પણ સર્વોદય સંમેલને ભરાયાં હતાં. હિંદુસ્તાનના બધા ધર્મોમાં ‘સર્વોદય’નાં બીજ તે હતાં જ. એ વિચારબીજોને ઝાડનું સ્વરૂપ આપવામાં એટલે કે સર્વોદય કરવામાં મોટો ફાળો મહાત્મા ગાંધીજીને છે: P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust