________________ - 306 - દક્ષિણ આફ્રિકાની સ્થિતિ તે વખતે બહુ જ દયનીય હતી. જે માણસે પૈસા માટે દેશાવર ખેડે છે તેઓ એની ધૂનમાં નીતિ અને ભગવાનને ભૂલે છે, સ્વાર્થમાં મુંઝાય છે અને તેથી ગેરલાભો પેદા થાય છે. સર્વધર્મના અને નીતિ તે રહેલી જ છે. નીતિ અને ન્યાય જાળવવા જરૂરી છે. ગાંધીજીએ તે વખતની આફ્રિકાની પરિસ્થિતિ સુધારવા માટે ‘એ પુસ્તકના આધારે પ્રયોગો શરૂ કર્યા અને લોકોને જાગૃત કર્યા. - આ પુસ્તક જેનો અનુવાદ ગાંધીજીએ “સર્વોદય”ના નામે કર્યો તેને મૂળ આધાર રશ્કિને બાઈબલની એક કથામાંથી લીધેલ. દરેક ધર્મ માં નીતિ ન્યાય જાળવવાની વાત આવે છે અને આ કથામાં પણ એ તત્ત્વ છે. એ કથાનું નામ છે: “આ છેલાને પણ...!” ' આ કથા આ પ્રમાણેની છે:–એક માણસને પિતાના કામ માટે રેજના મજૂર (દહાડીયા) જોઈતા હતા. વહેલી સવારે કેટલાક દહાડીયા આવ્યા. તેમને મજૂરીનો દર આઠ આના કહીને રાખ્યા. કેટલાક બપોરે આવ્યા તેમને પણ એ જ દરે રાખ્યા. કેટલાક એટલે સાંજ પડવા ટાણે આવ્યા. તેઓ ઘણા દુઃખી હતા. તેમને પણ એ જ મજૂરીના દરે રાખ્યા. મજૂરી ચૂકવતી વખતે વહેલી સવારે આવેલા મજૂરોએ વાંધે લીધે: “અમે વહેલાં આવ્યા તેમને પણ આઠ આના અને મેડા આવ્યા તેમને પણ આઠ આના!” * . ત્યારે પેલા માણસે કહ્યું : “ભાઈ ! મેં તો તમને કહ્યું તે . પ્રમાણે આપ્યા છે. એમને પણ એટલી જરૂર હતી તે પૂરી કરવી જોઈએ ને. એટલે એ છેલ્લાને પણ એ જ દરે મજુરી ચૂકવું છું તે વ્યાજબી છે.” . . પેલા લોકોને તેથી સંતોષ થયો. બાઇબલની આ કથાના આધારે રસ્કિને “દલિતને નસો” અદલ ઈસાફ”; “સાચનાં મૂળ” અને “ખરું છે એ બાબતમાં જુદાં જુદાં કાર્યો વિષે સૂચન કરતાં કહ્યું છે કે –“પાદરીનો ધંધે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust