SearchBrowseAboutContactDonate
Page Preview
Page 311
Loading...
Download File
Download File
Page Text
________________ - ર૯૫ ખેડૂત ગોપાલક અને વ્યાપારીઓ અને શુદ્ર એટલે એમના સહાયકો- શ્રમજીવીઓ. આ વાત કોઈને ગળે તરત નહીં ઉતરે. ક્ષત્રિયો અન્યાયને પ્રતિષ્ઠા ન આપે એટલે તેમણે પૈસે તથા સત્તાને પ્રતિષ્ઠા ન આપવી જોઈએ. તો એ કોગ્રેસને ગળે નહીં ઊતરે. શ્રમજીવી વૈો અને શુદ્રોએ–બનેએ મુખ્યત્વે ગામડાં લેવાં જોઈએ, તો એ વાત પણ કોઈને તરત ગળે નહીં ઊતરે. પણ આજના યુગ પ્રમાણે વર્ણ વ્યવસ્થામાં ફેર બદલી કરવી પડશે અને તેના નવાં મૂલ્યો બાંધવા કાર્યક્રમો રજુ કરવા જ પડશે. આ બધામાં વર્ગ, જાતિ કે સંપ્રદાયને લક્ષમાં નહીં રખાય પણ વિશ્વને લક્ષ્યમાં રાખીને કાર્યક્રમો અપાશે અને ઘડાશે. માનવી પોતે મર્યાદિત હોઈ અને પ્રારંભમાં સર્વાગી કાર્યકરે પણ ઓછા મળવાના હાઈ ક્ષેત્ર (કાર્યક્ષેત્ર) પણ મર્યાદિત અને ટુંકું લેવું પડશે. વળી આજના સાધુ સન્યાસીઓની કક્ષા મુજબ લોકો તેને ઝીલશે. કાર્યક્રમો પણ કક્ષા પ્રમાણે આપવા પડશે. કાર્યક્રમોની ષ્ટિ: ક્રાંતિ અને ક્રમ એ બન્ને શબ્દો ક્રમ ધાતુ પરથી બનેલા હેઈ, એકાળું માનીએ તે; કાર્યક્રમનો અર્થ સમાજકાર્યમાં ક્રાંતિ અગર તે સમાજકાર્ય દ્વારા ક્રાંતિ, એમ થાય છે. એ દૃષ્ટિએ કાર્યક્રમ સમાજમાં નવાં મૂલ્યોની સ્થાપના કરનાર, મલ્ય પરિવર્તન કરનાર નીવડે, એ દષ્ટિ કાર્યક્રમ ગોઠવનારની હોવી જોઈએ. દા. ત. શિયાળનું દવાખાનું લઈએ. આમ તો તે સર્જનાત્મક કાર્યક્રમ છે. પણ, જ્યારે, શુદ્ધિ પ્રયોગ ચાલતો હશે અથવા લવાદીથી ઝઘડા પતાવવાને વ્યાપક કાર્યક્રમ ચાલતો હશે ત્યારે દવાખાનાના ભાઈબહેને માટે દવાખાનું ગૌણ બની જશે; અને પ્રતિકારાત્મક કાર્યક્રમ અથવા મૂલ્ય પરિવર્તનાત્મક કાર્યક્રમ | મુખ્ય બની જશે. મતલબ એ છે કે આમ તે સમાજના બધા કાર્યક્રમો સમાજના નવસર્જન માટે છે છતાં, એમના મુખ્ય ત્રણ ભેદ રહેશે - P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036434
Book TitleDharmanubandhi Vishva Darshan Part 01
Original Sutra AuthorN/A
AuthorNemichandra Muni, Dulerai Mataliya
PublisherMahavir Sahitya Prakashan Mandir
Publication Year
Total Pages426
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size242 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy