________________ 286 -નહીં આવું વાતાવરણ બંધાઈ જાય અને દિવ્યગુણોની વાતો ફક્ત કહેવા સાંભળવા સુધી જ અટકી જાય. એટલે સાધુ સંસ્થાએ અવગુણ સાથે મારે શું એમ વિચારીને અલગ રહેવાનું નથી પણ આખા વિશ્વને પિતાનું ગણું અભેદ અનુભવ કરવો જોઈએ. જ્યાં જ્યાં કે અવગુણ છે તે મારાજ છે, હું દૂર ન કરી શકું તે મારી સાધનામાં ખામી છે. એ દેષ ભારી વિશ્વાત્મભાવની આત્મવત સર્વભૂતેષુની–સાધનામાં નડશે, સાધનામાં અંતરાયો ઊભા કરશે. એટલે મારી સાધનામાં આવતા આ જાળાઝાંખરાં રૂ૫ દેશોની નિંદામણ કરી ભારે ક્ષેત્ર વિશુદ્ધ કરીને દિવ્યગુણોને વાવવાં જોઈએ.” એવો પોતાની જાતને વિશ્વમાં વિલીન કરવાને અનુભવ મળે તે સાચે આનંદ મેળવી શકે. મા જેમ પિતાના બાળકની સાથે અભેદતાને અનુભવ કરે છે તેમ, આ સાધુ સંસ્થાએ વિશ્વની સાથે અભેદતાને અનુભવ કરવાનો છે. આ કામ પરંપરાગતથી આવતી સાધુ-સંસ્થા ન કરી શકે એવું ઘણાને લાગ્યા કરે છે. તે એટલા માટે કે સંસ્થા હોય ત્યાં જુદી જુદી પ્રકૃતિ, ટેવો અને સંસ્કારવાળા માણસો એમાં હોય છે. એ માટે બંધારણ ઘડવું પડે છે અને તેમાં ઉત્સર્ગ–અપવાદ વગેરે રાખવા પડે છે. તે ન રાખવામાં આવે તે સંસ્થા જુદી જુદી પ્રકૃતિ અને અમુક સંયોગવાળા સાધકોને સિદ્ધાંત-બાધ કે અપવાદ સિવાય સાચવી અને ઘડી ન શકે. પણ આ ભિન્નતા તે સર્વત્ર અમૂક અંશે રહેશે એટલે એ સંસ્થા કામ ન કરી શકે એવું નથી. જરૂર એના સભ્યો પિતાપિતાની શક્તિ અને પ્રકૃતિ પ્રમાણે જે દિશા નક્કી થયેલી છે તેમાં કામ કરશે. - માણસમાત્રની પ્રકૃતિમાં એક વસ્તુ પડેલી છે કે જ્યાં સુધી પૂર્ણ દિવ્યતા ન પ્રગટે ત્યાં સુધી એમાં અદેખાઈ ઇર્ષા, દ્વેષ, ધણું, આસક્તિ વગેરે નબળાઇઓ સૂક્ષ્મ અંશે પણ રહેવાની જ. ક્યારેક સાધુસંસ્થામાં જુના અનુભવી અને દિવ્યગુણવાળા રાહબર સાધુઓ બે–ચારજ હોય Jun Gun Aaradhak Trust P.P. Ac. Gunratnasuri M.S.