________________ ૨૭પ માલિકી હક મર્યાદાને ઊંડે વિચાર થવો જોઈએ : શ્રી બળવંતભાઈએ કહ્યું : " ગાંધીજીએ આપણને ટ્રસ્ટશીપને શબ્દ આપ્યો છે. વિનોબાજીએ માલિકી હક વિસર્જન રજૂ કર્યું છે અને પૂ. મહારાજશ્રી સંતબાલજીએ માલિકી હક મર્યાદા શબ્દ આપ્યો છે. 1 . મારા નમ્ર મત પ્રમાણે માલિકી હક મર્યાદાના મુદ્દે ખૂબ ઉંડાણથી વિચારવા જેવો છે અને તે સાવ વહેવારૂ હોવાની સાથે યુગાનુરૂપ પણ છે. ચલાબાં ખાદી વિધાલયમાં મને આનો અનુભવ થયો છે. સંસ્થાઓ તરીકે ભાલનળકાંઠાની સંસ્થાઓ તરફ નજર ઠરે છે. મને તો ખરેખર અનુબંધ વિચારધારાને જ માર્ગ ગમે છે. મને એ પણ નવાઈ લાગે છે કે તેલંગાને બનાવ તાજે છતાં શ્રીમંત કેમ ચેતતા નથી. ગરીબો ગરીબ છે–એ તેમનાં કર્મે છે એવું શ્રીમંત માને છે પણ, પિતાને દોષ જોતા નથી. એવી જ રીતે સાધુઓ પણ દાનને પ્રતિષ્ઠા આપે છે પણ, એ નાણું ક્યાંથી આવે છે તેનો વિચાર કરતા નથી. તો ભવિષ્યમાં શું થશે? આજના આર્થિક પ્રશ્નોને ઉકેલ મારા મતે તો માલિકી હક મર્યાદા જ છે. ' P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust