________________ 264 ઉપર અંકુશ મૂકાવે છે. ધર્મે મહારંભી-મહાપરિગ્રહીને નરકગતિને અધિકારી માન્યો છે. આ - હવે મહાપરિગ્રહીને સમાજની વિચારધારા પ્રમાણે વિરોધ છે તે. જોઈએ. પશ્ચિમની બે વિચારસરણીઓ પ્રજાશાહી સમાજવાદ કે સામ્યવાદ છે. સામ્યવાદમાં તે સરખે ભાગે અર્થની વહેચણી છે એટલે પરિગ્રહને પ્રશ્ન ઊભો થતો જ નથી. પ્રજાતંત્ર કે રાજતંત્રની લોકશાહીમાં વધુ ધનોપાર્જનની છૂટ હોવા છતાં અંતે તો તેને બહુજન હિતાય બહુજન સુખાય ઉપયોગ કરવામાં વ્યકિત અને રાજ્ય બને માને છે અને રાષ્ટ્રહિતની જે પ્રબળ ભાવના ત્યાં જોવામાં આવે છે તે પરિગ્રહની સમાજમાં ઉપયોગિતા કરવાનું સૂચવે છે. અમેરિકામાં ફેડ, રોક ફેલા વગેરેએ કરોડો રૂપિયા સમાજ અર્થે આપ્યા છે; અને તેને અનુકરણીય ગણવામાં આવેલ છે. ભારતની સાંસ્કૃતિમાં તે કદિ પણ ધનને મહત્વ આપવામાં આવ્યું નથી. એટલે કોઈ પણ વિચારધારા કે સમાજવાદે તેને સ્વીકાર કર્યો નથી. મહાપરિગ્રહ સાથે રાજ્યનો સંબંધ છે ત્યાંસુધી ભલે તેને ખુલ્લે નિષેધ નથી પણ બીજી રીતે ઘણી મર્યાદાઓ અને બંધને તેના ઉપર મૂકવામાં આવ્યા છે, કાયદા દ્વારા, ઈન્કમટેક્ષ, લેંડટેક્ષ, સુપરટેક્ષ, ગીફટટેક્ષ, સેલ્સટેક્ષ, ડેથટેક્ષ (મૃત્યુવેરે) વગેરે કરવેરા રૂપે રાજ્ય ઘણીખરી પૂજીને ખેંચી લેવાને પ્રયત્ન કરે જ છે; અને આમ પરાણે મર્યાદા મૂકાવે છે. જો કે એમાં અનેક પ્રકારના ગોટાળાઓ પણ ચાલે છે. ઘણું લાંચરૂશ્વત આપી બચી જાય છે. કેટલાક કરવેરો બચાવે છે તે કેટલાક તેને કાળાંબજારમાં ફેરવે છે. નિષેધ શા માટે : ઊંડો વિચાર કરતાં જોવામાં આવશે તે કોઈ પણ માનવ પિતાનો જ ભાઈ દુઃખી હોય એમ નહીં જોવા ઈછે. પરસ્પરની સહાય એ માનવગુણ છે એટલે જ કાયદા તળે કે ધર્મના નામે પરિગ્રહને વહેંચી દેવાનું– P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhakrus